ગુજરાત

gujarat

ETV Bharat / business

બીજા ક્વાર્ટરના પરિણામો બજારની દિશા નિર્ધારિત કરશે: US સેન્ટ્રલ બેન્ક

નવી દિલ્હી: ભારતના શેર બજારની દિશા આ અઠવાડીયે અમેરિકન ફેડરલ રિઝર્વના નીતિગત વલણ અને કંપનિયોના બીજા ક્વાર્ટરથી પ્રભાવિત થઈ શકે છે. આ અઠવાડીયે તહેવારોની રજાના કારણે બજાર ઓછા દિવસો ખુલશે.

By

Published : Oct 29, 2019, 12:55 PM IST

US central bank

જિયોજીત નાણાકીય સર્વિસના શોધ પ્રમુખ વિનોદ નાયરે જણાવ્યું કે, ' ટૂંકા વ્યવસાયિક દિવસોવાળા આ અઠવાડિયે રોકાણકારોની નજર કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર રહેશે. વાહન ક્ષેત્ર પર દરેકની નજર રહેશે. વાહન ક્ષેત્ર ઓક્ટોબરમાં તહેવારની સીઝનના વેચાણના આંકડા જાહેર કરશે. યુએસ સેન્ટ્રલ બેન્ક મોટા ડેટાના આધારે વ્યાજના દરને સ્થિર રાખી શકે છે.

નાયરે કહ્યું કે, આ સિવાય રોકાણકારોની નજર બ્રેક્ઝિટ અને વેપાર યુદ્ધ તરફ પણ રહેશે. અઠવાડિયા દરમિયાન યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, બેન્ક ઓફ ઈન્ડિયા અને યશ બેન્ક જેવી મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવી રહ્યા છે.

વિશ્લેષકોએ કહ્યું કે, શુક્રવારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના PMIના આંકડા પણ આવવાના બાકી છે. આનાથી વ્યવસાયની ધારણા ઉપર પણ અસર પડશે. આ સિવાય ડોલર સામે રૂપિયાની દિશા, ક્રૂડ તેલની વધઘટ અને વિદેશી રોકાણકારોનું વલણ પણ બજારની દિશા નક્કી કરશે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો 30 શેર વાળો સેન્સેક્સ રવિવારે મુહૂર્ત કારોબારમાં 192 પોઇન્ટના વધારા સાથે 39,250 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ હિન્દુ સંવત વર્ષ 2076ની પણ શરૂઆત છે.

ABOUT THE AUTHOR

...view details