મુંબઇ : કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે સરકારે સમગ્ર દેશને 21 દિવસ સુધી લૉકડાઉન કર્યું છે. આ મહામારી વચ્ચે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એક સંદેશ દ્નારા લોકોને આ રોગચાળાને રોકવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અપીલ કરી હતી.
આ તકે ગવર્નરે કહ્યું કે અત્યારે દેશ કોરોના વાઇરસના કારણે સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોએ ઘરે રહીને ડિજિટલ ટ્રાઝેક્શન કરવું જોઇએ. તે માટે લોકો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી ટ્રાઝેક્શન કરે. વધુમાં શક્તિકાંત દાસે કહ્યું કે ડિજિટસ ટ્રાન્ઝેક્શન કરો અને સલામત રહો.