ગુજરાત

gujarat

ETV Bharat / business

RBI બોન્ડ પરત ખેંચવાથી નાગરિકોને મોટો ઝટકો લાગશે: ચિદમ્બરમ - RBIના બોન્ડ

પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે ફરી એકવાર કેન્દ્ર સરકાર અને RBI પર નિશાન સાધ્યું હતું. ચિદમ્બરમે 7.75 ટકા બચત બોન્ડ યોજના પરત લેવાના સરકારના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, તે દેશના નાગરિકો માટે આંચકો છે.

RBIના બોન્ડ પાછા ખેંચી લેવાથી નાગરિકોને મોટો ઝટકો લાગશે: ચિદમ્બરમ
RBIના બોન્ડ પાછા ખેંચી લેવાથી નાગરિકોને મોટો ઝટકો લાગશે: ચિદમ્બરમ

By

Published : May 28, 2020, 5:30 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે 7.75 ટકા બચત બોન્ડ યોજના પરત લેવાના સરકારના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, તે દેશના નાગરિકો માટે આંચકો છે અને તેથી લોકોએ તેને તાત્કાલિક પુન: સ્થાપિત કરવાની માંગ કરવી જોઇએ.

પૂર્વ નાણા પ્રધાને ટ્વીટ કર્યું કે, "સરકારે વરિષ્ઠ નાગરિકોને વધુ એક આંચકો આપ્યો છે. તેણે આરબીઆઈની 7.75 ટકા બચત RBI બોન્ડ યોજના પાછી ખેંચી લીધી છે."તેમણે કહ્યું કે,સરકરે જાન્યુઆરી 2018માં પણ કહ્યું હતું, મેં આનો વિરોધ પણ કર્યો હતો.આગલા દિવસે સરકારો બોન્ડને ફરી શરૂ કર્યું હતું,પરતું વ્યાજ દરને 8 ટકાથી 7.75 ટકા કરી દીધું હતું.ચિદમ્બરમે કહ્યું કે,ટેક્સ પછી, ફક્ત 4.4 ટકાનો નફો થશે.હવે તે પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. કેમ? હું આ નિર્ણયની નિંદા કરું છું."

તેમના કહેવા મુજબ, દરેક સરકાર તેના નાગરિકોને ઓછામાં ઓછું એક સલામત જોખમ મુક્ત રોકાણ વિકલ્પ પ્રદાન કરવા માટે બંધાયેલી છે. તેમણે કહ્યું, "પીપીએફ અને સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર વ્યાજ ઘટાડ્યા પછી આરબીઆઈ બોન્ડ્સ નાબૂદ કરવો એ એક વધુ ફટકો છે. તમામ નાગરિકોએ આરબીઆઈ બોન્ડ્સને તાત્કાલિક ધોરણે ફરીથી સ્થાપિત કરવાની માંગ કરવી જોઈએ."

નોંધપાત્ર વાત એ છે કે સરકારે 7.75 ટકા કરયોગ્ય બોન્ડ યોજનાને ગુરૂવારે બેન્કિંગ કારોબાર સમાપ્ત થયા બાદ આ નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય ઘટતી વ્યાજ દરને જોઇને લીધો છે.

ABOUT THE AUTHOR

...view details