ગુજરાત

gujarat

BSNL-MTNL મર્જ: સરકારના એક તીરથી અનેક નિશાન

By

Published : Nov 13, 2019, 11:56 AM IST

Updated : Nov 13, 2019, 12:23 PM IST

નવી દિલ્હી: બે ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિડેટ(BSNL) અને મહાનગર ટેલીફોન નિગમ લિમિડેટ(MTNL)ની લોકપ્રિયતા અને વ્યાપક અપેક્ષા વિરુદ્ધ કેન્દ્ર સરકારે 23 ઑક્ટોબરે બંન્ને રાજ્ય સંચાલિત ટેલીકોમ માટે પેકેજની જાહેરાત કરી હતી.

with bsnl mtnl plan govt mulls multi kills at single shot

સતત નુકસાન કરતી બે સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિડેટ(BSNL) અને મહાનગર ટેલીફોન નિગમ લિમિડેટ(MTNL)એ 30 વર્ષ પહેલા ઈજારાશાહી ભોગવી હતી. જે હવે બંન્ને કંપની એક થઈ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. સાથે જ 50થી વધુ ઉંમરના કર્મચારીઓ માટે આકર્ષક સ્વૈચ્છિક સેવાનિવૃતિ યોજના (VRS) પણ આપશે. સમયગાળાની અને પ્રભાવ વગરની ભુમિકા બદલશે તેવી આશા છે.

સરકારના આ નિર્ણયો ટેલીકોમ ઉદ્યોગના વધતા મહત્વ અને વ્યુહાત્મક રણનિતિને સ્પષ્ટ કરે છે. જે સાઈબર દુનિયામાં માહિતી અને સંચાર વચ્ચેના અંતર ધટાડવાનું કામ કર્યું છે. ટેલીકોમ હવે સેવાની સાથે સાથે ઉત્પાદન આપી શકે છે.

આ ઉપરાંત મહત્વપૂર્ણ દુરસંચાર નેટવર્કની સેવાનો લાભ સૈન્ય અને જે તે રાજ્યની સરકારી કચેરીઓ લે છે. જે સત્તાવાર સુરક્ષિત અને પ્રાઇવસીની દ્રષ્ટીએ જરૂરી છે.

ભારત 5G ટેકનોલોજીમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે, અને 2020 સુધીમાં 5G ટેકનોલોજી આવી જશે. આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સીના યુગમાં પ્રવેશ કરી રહ્યો છે. ચીનમાં પહેલાથી જ 5G ટેકનોલોજીમાં અપનાવી છે. જ્યારે ભારતમાં ફિક્સ લાઈન માર્કેટનો 2/3 ભાગ ભારત સંચાર નિગમ લિમિડેટ (BSNL) અને મહાનગર ટેલીફોન નિગમ લિમિડેટ (MTNL)ના નિયંત્રણ હેઠળ છે. BSNL અને MTNL મળીને ફક્ત 10 ટકા ગ્રાહકોને સેવા પુરી પાડે છે. પરંતુ તેની આવકનો 75 ટકા ભાગ પગારમાં જાય છે. BSNLની આવક 19,308 કરોડથી લગભગ 14,000 ધટી ગઈ હતી.

VRS યોજના મહત્વની છે, જે સારી રીતે લાગુ કરાય તો ફાયદો થશે. BSNLના કુલ કર્મચારીઓ 1,65,000 છે. જેમાંથી લગભગ 70,000 કર્મચારીઓએ 'ગોલ્ડન હેન્ડશેક'નો વિકલ્પ પસંદ કર્યો છે. આ સંખ્યા સાથે BSNL પોતાના પગાર બિલમાંથી પ્રતિવર્ષ 7,000 કરાડ રુપિયા બચાવશે. VRS ઓફર દર 3જી ડિસેમ્બરે બંધ થશે.

સમય અને સંજોગ અનુસાર, BSNL પોતાના કર્મચારીઓને પગાર આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સુરક્ષા, વ્યુહાત્મક પગલા, અને સંતુલિત કલ્યાણકારી પગલા માત્ર સરકાર જ લઈ શકે છે કેમ કે, આર્થિક નુકસાનની પૃષ્ઠભૂમિવાળી કંપનીને ખરીદવા કોણ તૈયાર થાય?

Last Updated : Nov 13, 2019, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details