ગુજરાત

gujarat

ETV Bharat / business

RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત - રેપો રેટ યથાવત

રિઝર્વ બેંકે (Reserve Bank) સતત આઠમીવાર રેપો રેટ (Repo Rate) યથાવત રાખ્યા છે. રિઝર્વ બેંકે રેપો રેટને 4 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. RBIએ છેલ્લે 22 મે, 2020ના રેપો રેટમાં બદલાવ કર્યો હતો.

RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર,
RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર,

By

Published : Oct 8, 2021, 8:30 PM IST

  • રિઝર્વ બેંકે રેપો રેટ યથાવત રાખ્યા
  • છેલ્લે 22 મે, 2020ના રેપો રેટમાં બદલાવ કર્યો હતો
  • 2021-22 માટે GDPનો અંદાજ 9.5 ટકા રાખ્યો

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank Of India) શુક્રવારના આશા પ્રમાણે રેપો રેટ (Repo Rate)માં કોઈ બદલાવ નથી કર્યો અને આને રેકોર્ડ લઘુત્તમ સ્તરે જાળવી રાખ્યા છે. આ સતત આઠમીવાર છે જ્યારે કેન્દ્રીય બેંકે રેપો રેટ યથાવત રાખ્યા છે. આ સાથે જ કેન્દ્રીય બેંકે કોવિડ-19ની બીજી લહેર બાદ અર્થવ્યવસ્થા (Economy)માં સુધારાના સંકેતોની વચ્ચે પોતાનું નાણાકીય વલણ નરમ રાખવાનો પણ નિર્ણય કર્યો છે.

22 મે, 2020ના રેપો રેટમાં બદલાવ કરવામાં આવ્યો હતો

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીવાળી નાણાકીય નીતિ સમિતિ (MPC)એ છેલ્લે 22 મે, 2020ના રેપો રેટમાં બદલાવ કર્યો હતો. રેપો રેટ એ દર છે જેના પર વ્યાપારી બેંકો તેમની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્રીય બેંક પાસેથી ટૂંકા ગાળાની લોન લે છે.

સર્વાનુમતે વ્યાજદરમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય

શક્તિકાંત દાસે દ્વિ-માસિક નાણાકીય સમીક્ષાની જાહેરાત કરતા કહ્યું કે, "MPCએ રેપો રેટને 4 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.' આ જ રીતે રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા રાખવામાં આવ્યો છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, MPCએ સર્વાનુમતે વ્યાજદરમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે, વૃદ્ધિને ટેકો આપવા અને ફુગાવાને લક્ષ્યની શ્રેણીમાં રાખવા માટે કેન્દ્રીય બેંકે તેના નરમ વલણને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે ચાલું નાણાકીય વર્ષ 2021-22 માટે GDP વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.

આ પણ વાંચો: Mahindra XUV 700 SUV ની ધમાકેદાર એન્ટ્રી

આ પણ વાંચો: સપ્તાહના છેલ્લા દિવસે ઉછાળા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ ઐતિહાસિક 60,000ને પાર

ABOUT THE AUTHOR

...view details