ગુજરાત

gujarat

By

Published : Jul 28, 2020, 3:34 PM IST

ETV Bharat / business

કોરોનાથી બિઝનેસ પર ગંભીર અસર, સ્વિગીએ 350 કર્મચારીઓને છૂટા કર્યા

સ્વિગીએ મે મહીનામાં કાર્યાલય અને વિવિધ શહેરોમાં વિવિધ સ્તરે આશરે 1,100 કર્મચારીઓને છૂટા કર્યા હતા. કોવિડ -19 દરમિયાન કંપનીએ તેના સંસાધનોના પુન: સંગઠનની પ્રક્રિયાના ભાગરૂપે આ પગલું ભર્યું હતું.

સ્વિગી
સ્વિગી

નવી દિલ્હી: ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ સોમવારે 350 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. કોવિડ -19ને કારણે મે મહીનાથી કર્મચારીઓને છૂટા કરવાની કંપનીની યોજનાનો એક ભાગ છે.

સ્વિગીએ મે મહીનામાં કાર્યાલય અને વિવિધ શહેરોમાં વિવિધ સ્તરે આશરે 1,100 કર્મચારીઓને છૂટા કર્યા હતા. કોવિડ -19 દરમિયાન કંપનીએ તેના સંસાધનોના પુન: સંગઠનની પ્રક્રિયાના ભાગરૂપે આ પગલું ભર્યું હતું.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે બજારમાં તેનો કારોબાર અડધો થઈ ગયો છે. સંસાધનોને ગોઠવવા માટેની આ છેલ્લી પ્રક્રિયામાં, તેમના 350 વધુ કર્મચારીઓને છૂટા કરવા પડશે.

ABOUT THE AUTHOR

...view details