ગુજરાત

gujarat

By

Published : Nov 12, 2019, 12:56 PM IST

ETV Bharat / business

PMC બેંક કૌભાંડ: કોર્ટે બેંક ઓડિટરની આગોતરા જામીન અરજી ફગાવી

મુંબઇ : PMC બેંક કૌભાંડમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. PMC બેંકના ઓડિટરની આગોતરા જામીન માટેની અરજી ના મંજૂર કરી છે. તેની સાથે જ મુંબઇ પોલીસે આ મામલામાં બે બેંક ઓડિટરની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રની એક કોર્ટે આ સેશન કોર્ટ અરજી ફગાવી છે.

etv bharat

મહાનગરની સેશન્સ કોર્ટે કૌભાંડ ગ્રસ્ત પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંકના બે ડાયરેકટર દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી.

જસ્ટિસ એસ.ટી.સૂરે પરમીત સોઢી અને સુરજીત સિંહ નારંગની જમાનત અરજીને ફગાવી દીધી. અને કહ્યું કે, એની પૂછપરછ કરવી જરૂરી છે. મુંબઇ પોલીસની અપરાધ શાખાએ 4355 કરોડ રૂપિયાના PMC બેંક કૌભાંડમાં સોમવારની રાત્રે બે ઓડિટરની ધરપકડ કરી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પકડાયેલા ઓડિટર જયેશ સંઘાણી અને કેતન લકડવાલા આ કૌભાંડ વખતે સત્તાવાર ઓડિટર હતા. એવી આશંકા છે કે, તેણે કેટલાક બેંકના ઉચ્ચ અધિકારીઓની ગેરરીતિઓને છુપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ABOUT THE AUTHOR

...view details