નવી દિલ્હીઃ જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ એસ.કે. અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે આદેશનું પાલન કરતી ટેલીકોમ કંપની સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે AGR કેસમાં આપેલા ચૂકાદાની પાલન પર પ્રતિબંધ મૂકનારા ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના ડેસ્ક અધિકારીએ આદેશનો અવમાન કરવા બદલ દિલગીર હોવાનું જણાવ્યું હતું.
એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ(AGR) કેસમાં સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓ અને દૂરસંચાર વિભાગના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતા મોટાભાગની કંપનીઓએ બાકીની રકમ જમા કરાવી નથી.