ગુજરાત

gujarat

ETV Bharat / business

NCLATના આદેશ વિરુદ્ધ મિસ્ત્રી જૂથની અરજી પર ટાટા સન્સને કોર્ટની નોટિસ - ટાટા સન્સને સુપ્રિમ કોર્ટની નોટિસ

10 જાન્યુઆરીએ, સુપ્રિમ કોર્ટે ટાટા જૂથને રાહત આપી હતી અને ગયા વર્ષે 18 ડિસેમ્બરના નેશનલ કંપની લો અપીલટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી) ના આદેશ પર સ્ટે મુક્યો હતો, જે અંતર્ગત મિસ્ત્રીના કારોબારી અધ્યક્ષનું પદ પુન સ્થાપિત કરાયું હતું.

સાયરસ
સાયરસ

By

Published : May 30, 2020, 5:34 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રી અને તેમની કંપની દ્વારા દાખલ અરજી પર ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડ (ટીએસપીએલ) અને અન્યને શુક્રવારે નોટિસ ફટકારી છે. આ અરજીમાં, મિસ્ત્રી અને તેમની કંપનીએ તેમના શેરના પ્રમાણમાં ટી.એસ.પી.એલ. બોર્ડમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે એનસીએલએટીના આદેશમાં ખામીઓને દૂર કરવા વિનંતી કરી છે.

10 જાન્યુઆરીએ, સુપ્રિમ કોર્ટે ટાટા જૂથને રાહત આપી હતી અને ગયા વર્ષે 18 ડિસેમ્બરના નેશનલ કંપની લો અપીલટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી) ના આદેશ પર સ્ટે મુક્યો હતો, જે અંતર્ગત મિસ્ત્રીના કારોબારી અધ્યક્ષનું પદ પુન સ્થાપિત કરાયું હતું.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે ટીએસપીએલના બરખાસ્ત કરાયેલા અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીએ તેમના પરિવારના 18.37 ટકા હિસ્સાના ગુણોત્તરમાં કંપનીમાં રજૂઆત કરવાની વિનંતી કરી છે.

પોતાની અરજીમાં, મિસ્ત્રીએ ટાટા સન્સ સાથે જૂથના સંબંધને 60 વર્ષથી વધુની ભાગીદારી તરીકે વર્ણવ્યો હતો, જેમાં ટાટા સન્સમાં 18.37 ટકા હિસ્સો છે. પિટિશન પ્રમાણે, મિસ્ત્રી ગ્રુપની કંપનીએ એનસીએલએટીના આદેશમાં અનેક ખામીઓને દૂર કરવા વિનંતી કરી છે.

ABOUT THE AUTHOR

...view details