ગુજરાત

gujarat

ETV Bharat / business

paytmએ પીએમ-કેર ફંડ માટે 100 કરોડ એકઠા કર્યા - પેટીમ ન્યુઝ

paytmએ જાહેરાત કરી હતી કે, તે પીએમ-કેર ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કરશે. પેટીએમએ કહ્યું છે કે, યુપીઆઈ અથવા પેટીએમ બેન્ક ડેબિટ કાર્ડ અથવા વોલેટનો ઉપયોગ કરવા બદલ તે વધારાના દસ રૂપિયા ફાળો આપશે.

paytm
paytm

By

Published : Apr 11, 2020, 4:37 PM IST

નવી દિલ્હી: ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમએpaytm એ કોવિડ -19 સંકટને પહોંચી વળવા તેના પ્લેટફોર્મ દ્વારા વડા પ્રધાન નાગરિક સહાય અને ઇમર્જન્સી રિલીફ ફંડ માટે 100 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

paytmએ અગાઉ જાહેરાત કરી હતી કે તે પીએમ-કેરેસ ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કરશે. પેટીએમએ કહ્યું છે કે, યુપીઆઈ અથવા પેટીએમ બેન્ક ડેબિટ કાર્ડ દ્વારા દરેક યોગદાન અથવા વોલેટના ઉપયોગ બદલ પેટીએમ વધારાના દસ રૂપિયા ફાળો આપશે.

પેટીએમએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વધુ 10 દિવસની અંદર, પેટીએમ એપ્લિકેશન દ્વારા રકમ 100 કરોડને વટાવી ગયો છે.

કંપનીએ કહ્યું કે, તેના કર્મચારીઓએ પણ ફાળો આપ્યો છે. કંપનીએ કહ્યું કે, તેના કર્મચારીઓએ તેમના 15 દિવસ, એક મહિના, બે મહિના અને કેટલાક તો ત્રણ મહિનાના પગાર પણ પીએમ-કેરમાં આપી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details