ગુજરાત

gujarat

ETV Bharat / business

11 નવેમ્બર સુધી જેલમાં જ રહેશે નીરવ મોદી, કોર્ટે આપ્યો આદેશ - સોલિસીટર આનંદ દુબે

લંડન: બ્રિટેનની અદાલતે ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીને 11 નવેમ્બર સુધી જેલમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેસની સુનાવણી માટે લંડનની જેલથી વિડીયો લિન્ક દ્વારા તેને અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો.

etv bharat

By

Published : Oct 17, 2019, 11:29 PM IST

વેસ્ટમિન્સટર મેજિસ્ટ્રેટ અદાલતના વકીલ નીના તેમ્પિયાએ જાહેરાત કરી હતી કે, મોદીના પ્રત્યપર્ણ મામલે સુનાવણી 11 થી 15 મી વચ્ચે થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને દર 28 દિવસમાં અંતિમ સમીક્ષા સુનાવણી માટે વિડીયો લિન્ક દ્વારા રજુ થવાનું રહેશે.

પંજાબ નેશનલ બેન્કની સાથે અંદાજે 2 અરબ ડોલરનો ગોટાળો અને મની લૉન્ડ્રિંગના આરોપમાં નીરવ મોદીને ભારતમાં પ્રત્યારોપણ કરવા મામલામાં સુનાવણી ચાલી રહી છે. નીરવ મોદીને સ્કૉટલેન્ડ યાર્ડના અધિકારીને 19 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે દક્ષિણ-પશ્ચિમ લંડનની વેડસવર્થ જેલમાં બંધ છે.

સોલિસીટર આનંદ દુબે અને વકીલના નેતૃત્વમાં તેમની કાનૂની ટીમ તેમની ધરપકડ બાદ 4 જામીન અરજી દાખલ કરી છે. કોર્ટમાં જેના વિરુદ્ધ દલીલ કરવામાં આવી કે, નીરવ મોદી ફરાર થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details