GSTNની GSTના અમલમાં મોટી ભૂમિકા છે. તે કેન્દ્રનાં કરદાતાઓ, રાજ્ય સરકારના કરદાતાઓ અને અન્ય પક્ષોને GST માટે માળખાગત સુવિધાઓ અને આવશ્યક સુવિધાઓ પ્રદાન કરે છે. કુમારે કહ્યું હતું કે, GSTના અમલીકરણથી અપ્રત્યક્ષ કર ક્ષેત્રની જટિલતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
GST રીટર્ન ભરવાનું નવું વર્ઝન આ મહીને થશે લૉન્ચ - indian Central government
નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ નેટવર્કે 22 ઓક્ટોબરે GST રિટર્ન ભરવા માટેનું નવુ વર્ઝન બહાર પાડશે. આ સંસ્કરણનો હેતુ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. GSTNના CEO પ્રકાશ કુમારે IIT દિલ્હી એલ્યુમની એસોસિએશન દ્વારા આયોજીત સેમિનારમાં જણાવ્યું હતું કે, GST રીટર્ન ફાઈલના વર્તમાનની બીજી આવૃત્તિમાં ઘણા સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે 22મી ઓક્ટોબરે ત્રીજી આવૃત્તિ બહાર પડવામાં આવશે.
![GST રીટર્ન ભરવાનું નવું વર્ઝન આ મહીને થશે લૉન્ચ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4737120-thumbnail-3x2-gst.jpg)
GSTના અમલથી વેપારીઓ દ્વારા ભરનાર ફોર્મની સંખ્યા ઘટીને માત્ર 12 થઈ ગઈ છે. જ્યારે આ પહેલા વિવિધ કેન્દ્રિય અને રાજ્ય કાયદા હેઠળ 495 જેટલા ફોર્મ ભરવાના હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, પરોક્ષ વેરા વહીવટ હવે આયકર વિભાગ સાથે પણ ડેટા શેર કરે છે. સરકારની આ પહેલથી કરચોરી પકડવામાં મદદ મળશે. GST હેઠળ હાલમાં 1 કરોડ 23 લાખ કરદાતાઓ નોંધાયેલા છે.
GST પરિષદ વિશે કાઉન્સિલના વિશેષ સચિવ રાજીવ રંજને જણાવ્યું હતું કે, GSTથી ઉદ્યોગપતિઓને ધંધા માટે જરૂરી વિવિધ સુવિધાઓના ખર્ચમાં ઘટાડો થયો છે. આ સાથે જ નવી પરોક્ષ વેરા પ્રણાલીમાં વિવિધ માલના દરમાં ઘટાડો કરવાથી કિંમતમાં પણ ઘટાડો થયો છે અને મોંઘવારી નિયંત્રણમાં આવી છે.