ગુજરાત

gujarat

ETV Bharat / business

અલનીનોનો ભય છતાં દેશમાં ચોમાસું સારુ રહેશેઃ હવામાન વિભાગ - NEW DELHI

નવી દિલ્હી: અલનીનોને લઈને દુનિયાભરની એજન્સીઓની આશંકા છતાં ભારતીય હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સારો વરસાદ થવાની આશા જગાડી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલમાં અલનીનોની સ્થિતિ છે, પણ ચોમાસું આવતાં અલનીનો નબળું પડી જશે. આથી ચોમાસા પર અલનીનોની બહુ લાંબી અસર નહી પડે.

ફાઇલ ફોટો

By

Published : Apr 15, 2019, 5:56 PM IST

હવામાન વિભાગે જૂન મહિનાથી માંડીને સપ્ટેમ્બર મહિના સુધીમાં 96 ટકા વરસાદ આવવાની આગાહી કરી છે. એટલું જ નહી હવામાન વિભાગના કહેવા પ્રમાણે, ઈન્ડિયન ઓશન ડાયપોલને કારણે આખા દેશમાં વરસાદનું વિતરણ સારુ રહેશે. વીતેલા પાંચ વર્ષમાં 3 વર્ષ સામાન્યથી ઓછો વરસાદ થયો છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે, હાલમાં અલનીનોની સ્થિતી સર્જાયેલી છે. પરંતુ ચોમાસું આવતા સુધીમાં અથવા તો ચોમાસાની શરૂઆતમાં જ અલનીનો નબળું પડી જશે. તેમજ દેશમાં આ વર્ષે વરસાદ સારો રહેવોની મજબૂત ધારણા છે.

ABOUT THE AUTHOR

...view details