ગુજરાત

gujarat

ETV Bharat / business

હવે સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત, નિર્દેશનોનું પાલન નહીં કરનારને 1 વર્ષની જેલ - હોલમાર્કિંગ ફરજિયાત ન્યુઝ

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે, સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત કરવાની પ્રક્રિયા 15 જાન્યુઆરી 2020થી શરૂ થઈ છે, જેના માટે તમામ ઉત્પાદકોએ તેમની પ્રતિષ્ઠાનો નામ છાપવા પડશે.

pasvan
pasvan

By

Published : Jan 15, 2020, 9:17 AM IST

પાસવાને એક ટ્વીટ કરી માહિતી આપતા જણાવ્યા હતું કે, "15 જાન્યુઆરી, 2020 ના રોજ, સોનાના દાગીના અને કલા-કૃતિઓ પર ફરજિયાત હોલમાર્કિંગની સૂચના જાહેર કરવામાં આવશે." એક વર્ષનો અમલીકરણ સમય તમામ જ્વેલરી ઉત્પાદકો અને ઝવેરીઓને આપવામાં આવ્યો છે, ત્યારબાદ 15 જાન્યુઆરી 2021થી હૉલમાર્કિંગ ફરજિયાત અમલમાં આવશે.

હોલમાર્કિંગ ફરજિયાત થયા પછી, બધા ઝવેરીઓ માટે BIS સાથે નોંધણી કરાવવી ફરજિયાત બની ગઈ છે. હોલમાર્ક ઘરેણાઓમાં ફક્ત 14, 18 અને 22 કેરેટમાં બનાવવામાં આવશે અને વેચવામાં આવશે. જેનાથી ગામ લોકો અને ગરીબોને છેતરપિંડીથી બચાવવામાં મદદ મળશે. તેમજ દ્વારા ગ્રાહકોને જ્વેલરીની યોગ્ય ગુણવત્તા અને શુદ્ધતાની ખાતરી પણ મળશે.

પાસવાને જણાવ્યું હતું કે, દેશમાં 234 જિલ્લામાં 892 હૉલમાર્કિંગ કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. જો ઝવેરીઓ ગ્રાહકો સાથે છેતરપીંડી કરશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સરકાર 14 કેરેટ, 16 કેરેટ, 18, કેરેટ, 20 કેરેટ અને 22 કેરેટના ઘરેણા પર હૉલમાર્કિંગ ફરજિયાત કરશે.

રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, હૉલમાર્કિંગ ફરજિયાત બનાવવાનો નિર્ણય ગ્રાહકો અને ઝવેરીઓના ફાયદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હોલમાર્કિંગ લોકોને કેરેટમાં ઘટાડા સામે રક્ષણ આપે છે. સોનું ખરીદતી વખતે ગ્રાહકોને છેતરપિંડીનો ભય રહેતો નથી.

ABOUT THE AUTHOR

...view details