ગુજરાત

gujarat

ETV Bharat / business

આવકવેરા રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખમાં એક મહિનોનો વધારો

નવી દિલ્હી: સરકારે નાણાંકીય વર્ષ 2018-19 માટે આવકવેરાની છેલ્લી તારીખ એક મહિનો વધારીને 31 ઓગસ્ટ કરી છે. જેનાથી કરદાતાઓને રાહત મળશે.

By

Published : Jul 24, 2019, 2:16 AM IST

tex

સરકારે નાણાકીય ચાલુ વર્ષે આવકવેરા રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખમાં એક મહિનોનો વધારો કરીને 31 ઓગસ્ટ કરી છે.

નાણા મંત્રાલયે જણાવ્યું કે, (CBDT)એ આવકવેરો રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2019 થી વધારી 31 ઓગસ્ટ 2019 સુધી કરી છે."

ગત્ત વર્ષ 2018-19 માટે સ્ત્રોતથી કર (TDS)નું પ્રમાણ પત્ર એટલે કે, ફોર્મ 16ની લાંબી મુદતને કારણે આવકવેરો રિટર્ન દાખલ કરવાની તારીખ વધારવાની માગ કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગે ગત્ત વર્ષ 2018-19 માટે નોકરીદાતાઓ માટે ફોર્મ -16ને રજુ કરવાની છેલ્લી તારીખ 25 દિવસ વધારીને 10 જુલાઇ કરવામાં આવી હતી.

જેના કારણે વેતનભરી કરદાતાઓ પાસે 20 દિવસની અંદર આવકવેરા રિટર્ન દાખલ કરવાનો સમય વધ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details