ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના વાયરસ અપડેટઃ દૈનિક આંતરરાષ્ટ્રિય મુસાફરોની સંખ્યા 70 હજારથી ઘટીને 62 હજારે પ્રતિદિન પહોંચી - એયર ઈન્ડિયાએ રોમ, મિલાન, સિયોલમાં સેવાઓ હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે

ઓનલાઈન ખરીદી માટે વિશ્વની જાણીતી કંપનીએ જણાવ્યું હતું કે, તેઓએ 2.5 કરોડ ડૉલરનું રાહતનું રિલીફ ફંડ સ્થાપ્યું છે, જે રોગચાળાથી અસરગ્રસ્ત અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને મદદ કરશે.

covid-19
covid-19

By

Published : Mar 12, 2020, 4:31 PM IST

કોરોના વાયરસથી પીડિત કર્મચારીઓને રજાના દિવસના પગારની ચૂકવણી કરશે એમેઝોન

એમેઝોનને બુધવારે જણાવ્યું હતું કે, કોઈ કર્મચારી કોરોના વાયરસથી પીડિત હશે તો તેને સવેતનિક લાભ આપવામાં આવશે. દુનિયાની પ્રમુખ ઓનલાઈન ખરીદી માટે જાણીતી કંપનીએ જણાવ્યું હતું કે, તેઓએ 2.5 કરોડ ડૉલરનું રાહતનું રિલીફ ફંડ સ્થાપ્યું છે, જે રોગચાળાથી અસરગ્રસ્ત અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને મદદ કરશે. તેમજ કોવિડ -19 થી પ્રભાવિત અથવા નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલા બધા એમેઝોન કર્મચારીઓને બે અઠવાડિયાની રજાના પગારની ચૂકવણી કરવામાં આવશે."

દૈનિક આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 70 હજારથી ઘટીને 62 હજારે પ્રતિદિન પહોંચી

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, એરપોર્ટ પર પહોંચનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા કોરોના વાયરસના પ્રકોપના કારણે ઘટીને 70 હજારથી 62 હજાર થઈ ગઈ છે.

એયર ઈન્ડિયાએ રોમ, મિલાન, સિયોલમાં સેવાઓ હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે

એર ઇન્ડિયાએ રોમ, મિલાન અને સિઓલ માટેની તેની ફ્લાઇટ સેવાઓ હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત થઈ હતી.

એરલાઇન્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ કોરિયામાં 15 માર્ચથી 25 માર્ચ સુધી રોમમાં (ઇટાલી) સેવાઓ બંધ કરવામાં આવી રહી છે. મિલાન (ઇટાલી) અને સિઓલની ફ્લાઇટ કામગીરી 14 માર્ચથી 28 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવશે.

કોવિડ-19 વિરૂદ્ધ લડાઈ કરવા માટે 200 મિલિયન ડૉલર આપશે ADB

એશિયન ડેવલમેન્ટ બેન્કે જણાવ્યું હતું કે, કોરોના વાયરસને ડામવા માટે આવશ્યક દવાઓ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details