ગુજરાત

gujarat

અનેક વૈશ્વિક કંપનિયો ચીનથી ભારત આવવા વિચારી રહી છેઃ નિર્મલા સીતારમણ

By

Published : Dec 1, 2019, 8:06 PM IST

મુંબઇ: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે, વૈશ્વિક સ્તરે ધંધો કરતી લગભગ 12 કંપનીઓએ તેમના સ્થાપનો ચીનથી ભારત લાવવામાં રસ દાખવ્યો છે. તેમણે કહ્યું કે, આ કંપનીઓ ભારતમાં તાજેતરમાં જાહેર કરાયેલા 15 ટકા આકર્ષક કોર્પોરેટ આવકવેરા દરનો લાભ લેવા માંગે છે.

Nirmala Sitaraman News
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ

નાણાં પ્રધાને થોડા સમય પહેલા જ ઉત્પાદન ક્ષેત્રે નવા રોકાણ પર 15 ટકા કોર્પોરેટ ટેક્સના સ્પર્ધાત્મક દરની જાહેરાત કરી હતી.

સરકારે હાલની કંપનીઓ પર આવકવેરાનો દર પણ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યો છે. એ જ રીતે, ઉત્પાદન ઉદ્યોગમાં 1 ઓક્ટોબર 2019 પછી સ્થપાયેલી કંપનીઓની આવક પરનો ટેક્સ રેટ અને 31 માર્ચ 2023 સુધીમાં કામગીરી શરૂ કરવાને 25 ટકાથી બદલીને 15 ટકા કરી દેવામાં આવ્યો છે.

નાણાં પ્રધાને કહ્યું, "મેં કહ્યું હતું કે હું એક કાર્ય જૂથ બનાવીશ જે ચીનમાંથી ઉદ્ભવતી કંપનીઓના મામલાની તપાસ કરશે. આ દરમિયાન મેં ટેક્સ દરમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે."

તેમણે કહ્યું, "ઘણી એવી કંપનીઓ છે જે રસ બતાવી રહી છે અને પાછા આવવા માંગે છે". છેલ્લા આકારણીમાં, મને કહેવામાં આવ્યું હતું કે લગભગ 12 કંપનીઓ સાથે વાત કરવામાં આવી છે. તેમની અપેક્ષાઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેથી સરકાર તેમની સમક્ષ નક્કર દરખાસ્તો કરી શકે જેથી તેઓ તેમની સુવિધાઓ જ્યાં છે ત્યાંથી ભારત લાવી શકે.

નાણાં પ્રધાને કહ્યું કે, આનાથી સ્થાનિક સ્તરે પરિસ્થિતિઓ સુધરશે જેમાં નવા ઉદ્યોગો સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું, "મને ખાતરી છે કે, હું આ મામલે થોડી પ્રગતિની જાણ કરવાની સ્થિતિમાં આવીશ."

સીતારમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર 15 ડિસેમ્બર સુધીમાં ઓછામાં ઓછા 10 મોટા પ્રોજેક્ટ્સ પર રોકાણની જાહેરાત કરવાની સ્થિતિમાં હશે.

ગત સપ્ટેમ્બરમાં નાણાં મંત્રાલયે આર્થિક બાબતોના સચિવની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સની રચના કરી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસ માટે વર્ષ 2010-20 થી 2024-24 દરમિયાન શરૂ થનારી 'રાષ્ટ્રીય માળખાકીય સુવિધા પ્રોજેક્ટ્સની ક્રમિક લિસ્ટ' નું વિસ્તૃત બ્લુપ્રિન્ટ બનાવવાની જવાબદારી તેને સોંપવામાં આવી છે.

આર્થિક મંદી અંગે નાણાં પ્રધાને આશા વ્યક્ત કરી હતી કે કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના આગામી આંકડા વધુ સારા બનશે. નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 4.5 ટકા પર આવી ગયો છે, જે છ વર્ષનો સૌથી નીચો દર છે. પ્રથમ ક્વાર્ટરમાં આ વધારો 5 ટકા હતો.

તેમણે કહ્યું કે સરકાર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સને સરળ બનાવશે. તેમણે કહ્યું કે GST સિસ્ટમોને સરળ બનાવવા પર પહેલાથી જ કામ કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details