ન્યૂઝ ડેસ્ક:ખેડતોની આવક વધારવા માટે સરકારે PM કિસાન માનધન યોજના (pm kisan mandhan yojana) શરુ કરી છે. ઘણા એવા પણ ખેડુતો છે, જેમને મોટી ઉંમર પછી અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉંમરના આ તબક્કે તેમની પાસે કમાવાનું કોઈ સાધન પણ ન હોય. દેશમાં ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરી છે. આ યોજનામાં રોકાણ કરીને ખેડૂતો તેમના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરી શકે છે. આ યોજનામાં રોકાણ કર્યા પછી ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળે છે. આ યોજનામાં નોંધણી (pm kisan mandhan yojana online registration) કર્યા પછી ખેડૂતોએ ચોક્કસ રકમનું રોકાણ કરવું પડશે.
કયા દસ્તાવેજની જરૂર પડશે: 18 થી 40 વર્ષની વચ્ચેના ખેડૂતો PM કિસાન માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે. ભારત સરકારે આ યોજના ખાસ કરીને દેશના સીમાંત અને આર્થિક રીતે નબળા ખેડૂતો માટે શરૂ કરી છે. આ યોજના હેઠળ જે ખેડૂતો પાસે 2 હેક્ટર અથવા તેનાથી ઓછી જમીન છે. તેઓ સ્કીમમાં અરજી કરી શકે છેે. જો આનાથી વધુ જમીન હોય તો, આ સ્થિતિમાં તમારી અરજી રદ કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઈઝનો ફોટો જરૂરી રહેશે.