- મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ એસ.પી. ગોયલ કોરોના પોઝિટિવ
- આ અંગે મુખ્યપ્રધાને ટ્વિટ કરીને માહિતી આપી હતીં
- સાવચેતીના ભાગરૂપે યોગીએ પોતાને આઇસોલેશન કર્યા
લખનઉ: કોરોના વાઇરસ રાજધાનીની મુખ્યપ્રધાન કાર્યાલય અને મુખ્યપ્રધાન નિવાસસ્થાન પર પહોંચી ગયો છે. મુખ્યપ્રધાનના મુખ્ય સચિવ એસ.પી. ગોયલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ બાદ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પોતાને આઇસોલેશન કરી દીધા છે. આ અંગે મુખ્યપ્રધાને ટ્વિટ કરીને માહિતી આપી હતી. વધુમાં કહ્યું કે, 'મારી ઑફિસના કેટલાક અધિકારીઓ પણ સંક્રમિત થયા છે. આ અધિકારીઓ મારા સાથે સંપર્ક હતા. તેથી, સાવચેતીના ભાગરૂપે હું પોતાને આઇસોલેશન કરી રહ્યો છું.'
આ પણ વાંચો:ગુજરાત કોરોના અપડેટ : નવા 6021 કેસ અને 55 મોત નોંધાયા