નવી દિલ્હી ગયા ઑક્ટોબરમાં ભારત સરકારે સામાન્ય રીતે બે પાડોશી દેશો સંઘર્ષમાં પક્ષ લેવાનું વલણ અપનાવતા આર્મેનિયાને $249 મિલિયન ડોલર મૂલ્યના ઘાતક શસ્ત્રોની નિકાસ કરવાનું ( PINAKA export to Armenia ) નક્કી કર્યું હતું. સોવિયટ યુનિયન તૂટી અનેક દેશો બન્યાં તેમાં નવા બનેલા આર્મેનિયા અને તેના પાડોશી અઝરબૈજાનને લાંબા સમયથી તણાવ ચાલ્યો આવે છે. આ સંઘર્ષ સોવિયેત યુનિયન તૂટ્યાં સર્જાયેલી મુશ્કેલીઓનો વારસો છે. ભારત દ્વારા શસ્ત્ર ઈચ્છુક રાષ્ટ્રોને શસ્ત્રો વેચવાની આ પહેલી ઘટના નથી, પરંતુ ભારતની વિદેશ નીતિ માટે શસ્ત્રોના સંદર્ભમાં આ ખરેખર એક અનોખી ક્ષણ (Look Back 2022 ) છે. કારણ કે ભારતે આર્મેનિયાને સશસ્ત્ર બનાવવાનું નક્કી (Year Ender 2022 )કર્યું છે. આનાથી આર્મોનિયા અઝરબૈજાન સામે લડી શકે છે જે ભારતના પ્રતિકૂળ હિતોના પક્ષમાં છે.
આ પણ વાંચો Multi Barrel Rocket Launcher India : રાજસ્થાનના પોખરણમાંથી સફળતાપૂર્વક પિનાકા-ઇઆર બેરલ રોકેટ લોન્ચ
પિનાકાની માગભારત આર્મેનિયાને જે શસ્ત્રો વેચી રહ્યું છે તેમાં અત્યંત ઘાતક અને અસરકારક મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકાનો સમાવેશ થાય છે. જે કારગિલ યુદ્ધમાં દોષરહિત હતાં. પિનાકાની ઝડપી ફાયરિંગ ક્ષમતા છે કે તે લગભગ એક કિલોમીટરના વિસ્તારને સાફ કરી શકે છે. અઝરબૈજાનના સૈન્ય સામે દબાવમાં આવી ગયેલા આર્મેનિયન સૈન્યએ તુર્કીના શસ્ત્રોથી સજ્જ ડ્રોન, બેયરાક્ટર અને વધુ તો ભારતીય શસ્ત્રોથી પોતાનું નસીબ બદલવાની આશાથી સજ્જ થઇનેસશસ્ત્ર દળોને વધુ મજબૂત બનાવ્યું છે.
આ પણ વાંચો વિયેતનામ પણ યુદ્ધ માટે તૈયાર: મુલાકાત દરમિયાન રાજનાથ 'બ્રહ્મોસ' મિસાઈલની વાત કરશે!
દુશ્મનનો દુશ્મન મિત્રની રણનીતિ અઝરબૈજાન ઈઝરાયલ જેવા મુખ્ય શસ્ત્ર સપ્લાયર અને નવી દિલ્હીના ગાઢ મિત્રની ખૂબ નજીક છે. છતાં બંને દેશો (અઝરબૈજાન અને આર્મેનિયા) વચ્ચેના જટિલ સંબંધો સંઘર્ષને વળાંક આપે છે. અઝરબૈજાન, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે વધતા સાંઠગાંઠ અંગે ભારતનું આ પગલું છે. ઇઝરાયેલ યુરોપિયન યુનિયન અને યુએસ પણ બાકુની નજીક હોવાને કારણે આ સંબંધમાં ઘણા બધા વિરોધાભાસ પણ છે. પરંતુ આ જોડાણ તેના પડોશમાં કેવી રીતે ચાલશે અને તે પાકિસ્તાનને કેવી રીતે સશક્ત બનાવશે તેના પર નવી દિલ્હીના પોતાના મંતવ્યો છે.
રશિયાની વ્યસ્તતા વચ્ચે ભારતના શસ્ત્રોનું વેચાણભારતની શસ્ત્રવેપારની હલચલની તસવીરની બીજી બાજુ સૂચવે છે કે શસ્ત્રોના આ વેચાણમાં વધુ પડતું ન જોવું જોઈએ. કારણ કે યુક્રેન યુદ્ધમાં રશિયાની વ્યસ્તતા પછી ભારત મોટા ભાગે આર્મેનિયાની શસ્ત્રોની જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે. મોટો પ્રશ્ન એ છે કે શું ભારતે આ તમામ શસ્ત્ર પ્રણાલીઓ મુશ્કેલીમાં મુકાયેલા રશિયાની વિનંતી પર મોકલી હતી?
2025 સુધીમાં કમાણીની અપેક્ષા ભારત સરકારે વૈશ્વિક શસ્ત્ર સપ્લાયર તરીકે ઉભરી આવવાની ભલે ચોક્કસ ઈચ્છા દર્શાવી હોય, 2022 માં તે તમામ પ્રકારના દેશોને રૂ.13,000 કરોડના શસ્ત્રો વેચવાની અપેક્ષા રાખે છે. સરકારને આગામી 2 વર્ષમાં રૂ.35,000 કરોડની કમાણી થવાની અપેક્ષા છે. આમાં 375 મિલિયન ડોલરની બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો સમાવેશ થાય છે, જે ભારત-રશિયન સહયોગનું પરિણામ છે. બ્રહ્મોસનો પ્રથમ મોટો ખરીદનાર દેશ ફિલિપાઈન્સ (Brahmos to Philippines ) છે. ભારત સરકાર નવા ઓર્ડર માટે મલેશિયા, વિયેતનામ અને ઇન્ડોનેશિયા સાથે વાતચીત કરી રહી છે જેમાં સંયુક્ત સાહસને કમાણીની અપેક્ષા છે. બ્રહ્મોસ એરોસ્પેસ કંપની 2025 સુધીમાં 5 બિલિયન ડોલરની બનશે. કુલ 25 દેશો એવા છે કે જેમાં 50 ભારતીય સંરક્ષણ નિકાસ કંપનીઓ તેમનો માલ અને સિસ્ટમ વેચે છે.
એન્સિલરી ઉદ્યોગના સમીકરણનું નવું પાસું આ ઉપરાંત આર્મેનિયાએ ભારતીય ખાનગી ક્ષેત્રની કંપની સોલર પાસેથી મલ્ટી બેરલ ગન ખરીદી હતી. એવી અન્ય કંપનીઓ છે કે જેણે હેલિકોપ્ટર અને હથિયાર લોકેટિંગ રડાર વેચ્યા છે. એક સંરક્ષણ ઉત્પાદકે આ લેખકને કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની એન્સિલરી કંપનીઓનો આશાવાદ વધી રહ્યો છે. આ ક્ષેત્રની પુનઃરચના પછી વધુ સ્થાનિક ઉત્પાદકો ઓર્ડનન્સ ફેક્ટરીઓ દ્વારા રજૂ કરાયેલા ટેન્ડરો માટે પિચ કરી રહ્યા છે. તેમ છતાં તેમની ચિંતા એ છે કે મોટાભાગના ઓર્ડર્સ આગામી દિવસોમાં મોટાભાગનો કોન્ટ્રાક્ટ ઉદ્યોગના મોટા માથાંઓ, અદાણી, અંબાણી, ટાટા, લાર્સન અને ટુબ્રો વગેરેને જશે. તેમના મતે નાની કંપનીઓ કાં તો અદૃશ્ય થઈ જશે અથવા મોટી કંપનીઓ માટે કામ કરવાની ફરજ પડશે. એવું અનુમાન છે કે આ ક્ષેત્રનું એકીકરણ સંરક્ષણ ક્ષેત્રના આનુષંગિક એકમોના વિકાસને મર્યાદિત કરશે.
યુએસ તરફથી આવેલું સૂચનકથિત રીતે સંરક્ષણ ક્ષેત્રમાંથી ઉભરી રહેલી મોટી વાત યુએસ તરફથી આવેલું સૂચન છે. જે રશિયાની જગ્યાએ ભારતને શસ્ત્ર સપ્લાયર તરીકે ઊભરવામાં મદદ કરી શકે છે. રશિયા પર ભારતની નિર્ભરતા પાછળના કારણો અંગેના પ્રશ્નના જવાબમાં પેન્ટાગોનમાં પેઠ હોવાનો દાવો કરતી પશ્ચિમી થિંક ટેન્ક દાવો કરી રહી છે કે નવી દિલ્હીના મોસ્કોથી અલગ થવાનો એકમાત્ર રસ્તો એ છે કે ભારત રશિયન શસ્ત્ર પ્રણાલી પર આધાર રાખવાનું બંધ કરે. તે તો શક્ય બને જો તે રશિયામાંથી શસ્ત્ર આયાત કરવાનું બંધ કરીને આત્મનિર્ભર બને.
ભારતમાં આવી શકે વિદેશી એન્સિલરી કંપનીઓ ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રો આયાત કરનાર દેશ છે. એવું અનુમાન છે કે યુદ્ધગ્રસ્ત યુક્રેન જેવા અગાઉના સોવિયેત પ્રજાસત્તાકોમાં અમેરિકાના આધિપત્ય હેઠળના શસ્ત્રો બનાવતી ફેક્ટરીઓ ભારતમાં સ્થાનાંતરિત થઈ શકે છે. આનાથી વિપરીત ભારત આ કંપનીઓ સાથે લાઇસન્સિંગ વ્યવસ્થા કરી શકે છે. જોકે સંરક્ષણ મંત્રાલયના જાણકાર સૂત્રો તરફથી કોઈ સત્તાવાર વાત આવી નથી, તેમ છતાં દાવો કરવામાં આવ્યો છે કે શસ્ત્રો માટે રશિયા પર ભારતની નિર્ભરતા બદલી ન શકાય તેવી નથી અને તે સતત ઘટી રહી છે. યુક્રેન સંઘર્ષ ભારતને રશિયન માલસામાનના પુરવઠાને કેવી રીતે અસર કરશે તે અંગે ગેરસમજ હોવા છતાં, જે અસંદિગ્ધ તથ્ય છે તે એ છે કે મોસ્કોના શસ્ત્રો સરળતાથી ભૂલી શકાય નહીં.
રશિયા પર ભારતની નિર્ભરતા અમેરિકાને ખૂંચે છે 2021માં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને એન્ટિ-મિસાઇલ સિસ્ટમ S-400 કાર્યરત કરી હતી. આ પ્રણાલીએ ઘણા ભારતીય શહેરોને દુશ્મનોના પ્રતિકૂળ હુમલાઓથી સુરક્ષિત બનાવ્યાં છે. આના કારણે દુશ્મન દેશો ઘણા સમયથી અમેરિકી વહીવટીતંત્રને ઘેર્યું છે. અમેરિકાએ કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (CAATSA) ની જોગવાઈ હેઠળ ભારત સામે પગલાં લેવાની ધમકી (tackling US CAATSA ) આપી છે પરંતુ આ મુદ્દાને હાલ તો અધરમાં રાખ્યો છે. રશિયાએ ભારતને 600 જેટલા ફાઈટર જેટમાંથી 71 ટકા સપ્લાય પણ કરી દીધાં છે. ભારત આ માટે રશિયાના સ્પેર અને પ્રણાલિ પર નિર્ભર છે. આ ઉપરાંત, ભારત લાયસન્સ હેઠળ AK-203, T-90s અને T-72s અને ઘણું બધું બનાવે છે. આ એક એવો સંબંધ છે જે સમયની કસોટીમાં ટકી ગયો છે. પરંતુ હવે પશ્ચિમ ઇચ્છે છે કે ભારત મોસ્કોથી જલ્દી દૂરી બનાવે. શું તે પણ શક્ય છે?
લેખક- સંજય કપૂર