ગુજરાત

gujarat

By PTI

Published : Nov 25, 2023, 3:25 PM IST

Updated : Nov 25, 2023, 6:04 PM IST

ETV Bharat / bharat

થાઇલેન્ડમાં વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં ' હિન્દુવાદ ' શબ્દનો ત્યાગ કરી અપનાવાયાં ' હિન્દુત્વ ' અને ' હિન્દુ ધર્મ ' શબ્દો

વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશનના સ્થાપક અને વૈશ્વિક પ્રમુખ સ્વામી વિજ્ઞાનાનંદે શંખ ફૂંકીને વિશ્વ હિન્દુ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. તૃતીય વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ ( ડબ્લ્યુએચસી ) એ અહીં એક ઘોષણાપત્ર અંગીકાર કર્યું જેમાં જણાવ્યું હતું કે હિન્દુત્વ શબ્દ વધુ સચોટ છે, કારણ કે તેમાં હિન્દુ શબ્દના તમામ અર્થો શામેલ છે. World Hindu Congress Hindutva Hindu Dharm WHC2023

થાઇલેન્ડમાં વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં ' હિન્દુવાદ ' શબ્દનો ત્યાગ કરી અપનાવાયાં ' હિન્દુત્વ ' અને ' હિન્દુ ધર્મ ' શબ્દો
થાઇલેન્ડમાં વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં ' હિન્દુવાદ ' શબ્દનો ત્યાગ કરી અપનાવાયાં ' હિન્દુત્વ ' અને ' હિન્દુ ધર્મ ' શબ્દો

બેંગકોક : થાઈલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસે શુક્રવારે સનાતન ધર્મનો સંદર્ભ આપવા માટે હિંદુત્વ અને હિન્દુ ધર્મ શબ્દો અપનાવ્યાં હતાં. આ સાથે તેમણે હિન્દુવાદ ( હિન્દુઇઝમ ) શબ્દને છોડી દેવાની અપીલ કરતા કહ્યું કે આ શબ્દ જુલમ અને ભેદભાવ દર્શાવે છે. ત્રીજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ (ડબ્લ્યુએચસી) એ અહીં એક ઢંઢેરો જાહેર કર્યો અને જણાવ્યું હતું કે હિન્દુત્વ શબ્દ વધુ સચોટ છે કારણ કે તેમાં હિન્દુ શબ્દના તમામ અર્થો શામેલ છે.

હિન્દુઇઝમ શબ્દનો ત્યાગ કરવા અપીલ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસની ચર્ચાના પ્રથમ દિવસના અંતે અપનાવવામાં આવેલી ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે, 'હિન્દુ ધર્મ શબ્દનો પ્રથમ શબ્દ, એટલે કે હિન્દુ અમર્યાદિત શબ્દ છે. તે સનાતન અથવા શાશ્વત છે તે બધાનું પ્રતીક છે. ધર્મ શબ્દ છે, જેનો અર્થ છે " જે જાળવી રાખે છે." ઢંઢેરામાં વધુમાં કહ્યું કે હિન્દુવાદ (હિન્દુઇઝમ) તેનાથી વિપરીત, હિન્દુ ધર્મ (હિન્દુ ધર્મ) સંપૂર્ણપણે અલગ શબ્દ છે. કારણ કે તેની સાથે 'ઇઝમ' જોડાયેલ છે, જે એક દમનકારી અને ભેદભાવપૂર્ણ દ્રૃષ્ટિકોણ અથવા માન્યતા તરીકે વ્યાખ્યાયિત થયેલ શબ્દ છે. આપણા વડીલોએ હિન્દુવાદ કરતાં હિન્દુત્વ શબ્દ પસંદ કર્યો કારણ કે હિન્દુત્વ એ વધુ સચોટ શબ્દ છે, તેમાં હિન્દુ શબ્દના તમામ અર્થો સમાયેલ છે. અમે તેમની સાથે સહમત છીએ અને અમારે પણ એવું જ કરવું જોઈએ.

ડીએમકે નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણીઓઆ મેનિફેસ્ટો એવા સમયે અપનાવવામાં આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા ' સનાતન નાબૂદી ' પર એક સેમિનારમાં ડીએમકે નેતાઓએ સનાતન ધર્મ વિશે કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી.

હિંદુત્વ કોઈ જટિલ શબ્દ નથીવર્લ્ડ હિન્દુકોંગ્રેસના મેનિફેસ્ટોમાં આગળ કહેવામાં આવ્યું છે કે હિન્દુત્વ કોઈ જટિલ શબ્દ નથી અને તેનો સરળ અર્થ હિન્દુ સાથે જોડાયેલો છે. અન્ય લોકોએ વિકલ્પ તરીકે ' સનાતન ધર્મ 'નો ઉપયોગ કર્યો છે, જેને સંક્ષિપ્તમાં સનાતન કહેવામાં આવે છે. અહીં સનાતન શબ્દ એક વિશેષણ તરીકે કામ કરે છે જે હિન્દુ ધર્મના શાશ્વત સ્વભાવને દર્શાવે છે.''

બૌદ્ધિકો અજ્ઞાનવશ વિરુદ્ધ અર્થ રજૂ કરે છેમેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે ઘણા શિક્ષણવિદો અને બૌદ્ધિકો અજ્ઞાનવશ હિન્દુત્વને હિન્દુ ધર્મની વિરુદ્ધ તરીકે રજૂ કરે છે. પરંતુ મોટાભાગના લોકો હિન્દુત્વ વિરોધી છે કારણ કે તેમને હિન્દુ ધર્મ પ્રત્યે ઊંડી નફરત અને પૂર્વગ્રહ છે. રાજકીય એજન્ડા અને વ્યક્તિગત પક્ષપાતથી પ્રેરિત ઘણા નેતાઓ પણ તે જૂથમાં જોડાયાં છે અને સનાતન ધર્મ અથવા સનાતનની ઘણી ટીકા કરી રહ્યા છે.

કટ્ટરતા સામે એક થવા અપીલ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસએ આવી ટીકાની નિંદા કરી અને વિશ્વભરના હિન્દુઓને આવા કટ્ટરતામાં સંડોવાયેલા લોકો પર કાબૂ મેળવવા માટે એકસંપ થવા અને વિજયી બનવા વિનંતી કરી. અગાઉ ડબ્લ્યુએચસીના ઉદ્ઘાટન સત્રને સંબોધતા આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે ભારત વિશ્વને સુખ અને સંતોષનો માર્ગ બતાવશે. જે ભૌતિકવાદ, સામ્યવાદ અને મૂડીવાદના પ્રયોગોને કારણે ક્ષીણ થઈ રહ્યું છે.

વિશ્વભરમાં હિન્દુઓને જોડવા પ્રયાસમોહન ભાગવતે વિશ્વભરના હિન્દુઓને એકબીજા સુધી પહોંચવા અને વિશ્વ સાથે એકસાથે જોડાવા અપીલ કરી હતી. વિશ્વભરના ચિંતકો, કાર્યકર્તાઓ, નેતાઓ અને ઉદ્યમીઓને સંબોધતા તેમણે કહ્યું, 'આપણે દરેક હિન્દુસુધી પહોંચવું પડશે, સંપર્ક સ્થાપિત કરવો પડશે. બધા નઓ એકમંચ પર આવશે અને વિશ્વના દરેકનો સંપર્ક કરશે. હિન્દુઓ વધુને વધુ સંખ્યામાં સંકળાઇ રહ્યાં છે અને વિશ્વ સાથે જોડાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.’ વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશનના સ્થાપક અને વૈશ્વિક પ્રમુખ સ્વામી વિજ્ઞાનાનંદે શંખ ફૂંકીને કોન્ફરન્સની શરૂઆત કરી હતી. ત્રીજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસમાં 60થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

મહાનુભાવોની ઉપસ્થિતિ આ પ્રસંગે આધ્યાત્મિક નેતા માતા અમૃતાનંદમયી દેવી, વિશ્વ હિન્દુ પરિષદ ( VHP )ના જનરલ સેક્રેટરી મિલિંદ પરાંડે, WHC ઓર્ગેનાઈઝિંગ કમિટીના અધ્યક્ષ સુશીલ સરાફ, ભારત સેવાશ્રમ સંઘના કાર્યકારી પ્રમુખ સ્વામી પૂર્ણાત્માનંદ, હિન્દુઈઝમ ટુડે-યુએસએના પ્રકાશક સતગુરુ બોધિનાથ વેયલાનસ્વામી અને અન્યોએ ભાગ લીધો હતો.

  1. અયોધ્યાના રામ મંદિરમાં લગાવાશે 25 લાખનો અનોખો ઘંટ, 'ॐ 'ના નાદથી ગુંજી ઉઠશે રામ મંદિર
  2. RSS Shibir in Bhuj : અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક પૂર્ણ, ત્રિદિવસીય બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય
Last Updated : Nov 25, 2023, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details