ગુજરાત

gujarat

By

Published : Jun 23, 2021, 10:24 AM IST

ETV Bharat / bharat

Wide Road in Ayodhya: અયોધ્યાને જોડતા મુખ્ય રસ્તાઓ 100 મીટર પહોળા કરાશે

ઉત્તરપ્રદેશ આવાસ અને વિકાસ પરિષદ (Uttar Pradesh Housing and Development Council)ના નિર્દેશક મંડળ (Board of Directors)ની યોજાયેલી બેઠક મંગળવારે પરિષદના મુખ્યમથકમાં પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં અયોધ્યામાં 100 મીટર પહોળા રોડ (Wide Road in Ayodhya) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Wide Road in Ayodhya: અયોધ્યાને જોડતા મુખ્ય રસ્તાઓ 100 મીટર પહોળા કરાશે
Wide Road in Ayodhya: અયોધ્યાને જોડતા મુખ્ય રસ્તાઓ 100 મીટર પહોળા કરાશે

  • અયોધ્યાને જોડતા તમામ મુખ્ય રસ્તાઓ 100 મીટર પહોળા (Wide Road in Ayodhya) બનાવવાનો નિર્ણય કરાયો
  • ઉત્તરપ્રદેશ આવાસ અને વિકાસ પરિષદ (Uttar Pradesh Housing and Development Council)ના નિર્દેશક મંડળ (Board of Directors)ની બેઠકમાં લેવાયો નિર્ણય
  • પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યાનો રાષ્ટ્રીય સ્તર પર વિકાસ કરવામાં આવી રહ્યો છે

લખનઉઃ પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યાનો રાષ્ટ્રીય સ્તર પર વિકાસ કરવામાં આવી રહ્યો છે. નવા અયોધ્યા અને તેનાથી જોડાનારા મુખ્ય રસ્તાઓને 100 મીટર પહોળા કરવામાં આવશે. આવાસ વિકાસની 1,195 એકડમાં બનાવવામાં આવતી ટાઉનશિપમાં 24થી 100 મીટર વચ્ચે માર્ગોની પહોળાઈ હશે. પ્રવાસીઓ સુવિધા માટે કેન્દ્ર બનાવવામાં આવશે. આ અંગે સંશોધિત જોગવાઈને મંગળવારે સાંજે આવાસ વિકાસ પરિષદે સંમતી આપી દીધી છે.

આ પણ વાંચો-રામ મંદિર નિર્માણનો બીજો તબક્કો ડિસેમ્બરમાં શરૂ થશે : ટ્રસ્ટ

કોરોનાના કારણે હપ્તા જમા કરવા પર મળશે છૂટ

પ્રમુખ સચિવ આવાસ અને શહેરી નિયોજન વિભાગના અધ્યક્ષતામાં અનેક મહત્વના નિર્ણય કરાયા છે. ફાળવીકારોને રાહત આપવા માટે કોરોનાના કારણે ઉત્કૃષ્ટ ભંડોળ પર વધુ વ્યાજ ન લેવા અને એકમ રાશિ જમાની દિશામાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો-અયોધ્યામાં બનનારી મસ્જિદ માટે આવતા દાન પર ટેક્સ નહીં લાગે

મહત્વના નિર્ણયો પણ લાગી મહોર

આવાસ વિકાસ પરિષદના નિર્દેશક મંડળની બેઠક મંગળવારે પરિષદ મુખ્યમથકમાં પૂર્ણ થઈ છે. અયોધ્યામાં ભૂમિ વિકાસ અને ગૃહસ્થાન યોજનાને વિકસીત કરવાનો પ્રસ્તાવ મહત્વનો હતો. સચિવ ડો. નીરજ શુક્લાએ જણાવ્યું હતું કે, આ યોજનામાં સામાન્યથી પહોળા રસ્તાની જોગવાઈ કરાઈ છે. હવે રસ્તા 24થી 100 મીટર પહોળા હશે.

આવાસ વિકાસ સોલાર અને હેરિટેજ સિટી તરીકે ટાઉનશિપનો વિકાસ થશે

આવાસ વિકાસ સોલાર અને હેરિટેજ સિટી તરીકે ટાઉનશિપનો વિકાસ કરશે. યોજનાના પ્રસ્તાવિત સ્વરૂપમાં પૌરાણિક થીમ પર આધારિત નગરી બનાવવામાં આવશે. સ્ટુડિયો એપાર્ટમેન્ટ પણ બનશે. આમાં 30 મીટર પહોળા રસ્તા અને મોટા ભાગમાં હરિયાળી હશે. 5 સ્ટાર અને 25 થ્રી સ્ટાર હોટેલ હશે. દેશ-વિદેશના લગભગ 200 એકડ જમીનની માગ અનેક સંસ્થાએ આવાસ વિકાસ પરિષદથી લઈ લીધી છે.

ABOUT THE AUTHOR

...view details