ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Indian Marriage: દીકરીની વિદાય વખતે ચોખા ફેંકવા પાછળનું કારણ ખબર છે? ખૂબ જ સરસ છે આ વિધિ - Indian Marriage Prasang

આપણા દેશમાં જ્યારે પણ કોઈના લગ્ન થાય છે ત્યારે એનું ડ્રેસિંગ અને થીમ સૌથી વધારે ચર્ચામાં રહે છે. પણ દરેક પરંપરામાં એ રીવાજ જોવા મળે છે કે, જ્યારે પણ દીકરીની વિદાય થાય ત્યારે દીકરી આગળ વધે છે અને પાછળ ચોખા ફેંકે છે. પણ ક્યારેય વિચાર્યું છે ખરા કે, આવું શા માટે કરવામાં આવે છે. આ રીવાજ પાછળનું પણ એક કારણ છે.

Indian Marriage: દીકરીની વિદાય વખતે ચોખા ફેંકવા પાછળનું કારણ ખબર છે? ખૂબ જ સરસ છે આ વિધિ
Indian Marriage: દીકરીની વિદાય વખતે ચોખા ફેંકવા પાછળનું કારણ ખબર છે? ખૂબ જ સરસ છે આ વિધિ

By

Published : Jul 16, 2023, 6:35 AM IST

મુંબઈઃલગ્ન એ માત્ર બે વ્યક્તિ વચ્ચેના સંબંધોની શરૂઆત નથી. પણ બે પરિવારોનું મિલન છે. લગ્નને એક સંસ્થા તરીકે પણ જોવામાં આવે છે. જેમાં અનેક જુદા જુદા રીત-રીવાજ છે, પરંપરાઓ છે. લગ્ન પ્રસંગે થનારી દરેક વિધિ પાછળ એક માન્યતા અને આસ્થા જોડાયેલી હોય છે. આ સિવાય પણ એક વૈજ્ઞાનિક અભિગમ પણ જોડાયેલો હોય છે. એ પછી પીઠીનો રીવાજ હોય કે સાત ફેરા. આ રીવાજમાં એક રીવાજ એ પણ હોય છે કે, દીકરી વિદાય વખતે દીકરી આગળ જાય છે અને પાછળ ચોખા ફેંકે છે.

Indian Marriage: દીકરીની વિદાય વખતે ચોખા ફેંકવા પાછળનું કારણ ખબર છે? ખૂબ જ સરસ છે આ વિધિ

ઈમોશનલ ક્ષણઃ દીકરી વાળા માટે ક્ષણ સૌથી વધારે ઈમોશનલ હોય છે. વરરાજા સાથે કોઈ વાહનમાં બેસતા પહેલા દીકરી આ રીવાજ નિભાવે છે. આમ તો દરેક હિન્દુઓના લગ્નમાં આ રીવાજ જોવા મળે છે. પણ ઘણા ઓછા લોકોને આ પાછળની હકીકત ખબર હોય છે. એક પ્લેટમાં દીકરી માટે ચોખા લાવવામાં આવે છે અને પછી દીકરી બન્ને હાથેથી ખોબા ભરીને આ ચોખાને પાછળની તરફ ફેંકે છે. હિન્દુ ધર્મમાં દીકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જ્યારે તે પિતાનું ઘર છોડીને વિદાય લે છે એ સમયે ચોખાના રૂપમાં પોતાની દુઆ, ધન સંપત્તિ તથા સમૃદ્ધિ પોતાના પરિવારને આપીને જાય છે. આ કારણોસર તે વિદાય વખતે ચોખા પાછળની તરફ ફેંકીને જાય છે. તેને સાચવીને રાખવામાં આવે છે.

નજર ન લાગેઃકોઈ પણ દીકરી સૌથી વધારે સુંદર એના દુલ્હનના રૂપમાં લાગતી હોય છે. પણ એ સમયે એને નજર લાગી જાય એનું પણ જોખમ રહે છે. માથા પરથી ચોખા ઊતારીને ફેંકવા પાછળનું એક કારણ એને કોઈની નજર ન લાગે એ પણ છે. આ સિવાય પરિવારમાંથી મળેલા પ્રેમ, સન્માન, આદર અને એક સરસ ભાવ બદલ તે આભાર પણ વ્યક્ત કરે છે.

Indian Marriage: દીકરીની વિદાય વખતે ચોખા ફેંકવા પાછળનું કારણ ખબર છે? ખૂબ જ સરસ છે આ વિધિ

ચોખા જ કેમઃ બીજું કોઈ અનાજ નહીં પણ ચોખા જ શા માટે ફેંકવામાં આવે છે એ પાછળનું પણ કારણ છે. ચોખાને સૌથી શુદ્ધ, સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે પણ કોઈ પ્રસંગ હોય ત્યારે એ નકારાત્મકતાને દૂર કરે છે. તેથી જ કોઈ પણ ધાર્મિક પ્રસંગે ચોખાને પહેલા રાખવામાં આવે છે. આ ઉપરાંત ચોખા શુદ્ધતાનું પણ પ્રતીક છે, જ્યારે પણ કોઈ ચાંદલો કરે છે એ પછી એના પર ચોખા લગાવવામાં આવે છે. જેથી વિચારોમાંથી નરાકાત્મકતા દૂર થાય.

  1. Aajnu Rashifal: આજે આ રાશિના લોકોનો પરિવારજનો સાથેનો સમય આનંદથી પસાર થાય
  2. Love Horoscope: આજે આ રાશિના લોકોના જીવનમાં કોઈ નવો મિત્ર આવી શકે છે

ABOUT THE AUTHOR

...view details