જીનીવા:વિશ્વ આરોગ્ય સંસ્થાના (World Health Organization) વડા ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે ચેતવણી આપી હતી કે, કોરોના વાયરસના વધુ સ્વરૂપો દેખાવા માટે આદર્શ પરિસ્થિતિ બાકી છે અને જણાવ્યું હતું કે, ઓમિક્રોન શું તે છેલ્લું સ્વરૂપ છે અથવા આપણે સંક્રમણના છેલ્લા તબક્કામાં છીએ તે માનવું એક ખતરનાક વિચાર છે.
સંક્રમણનો ઘાતક તબક્કો આ વર્ષે સમાપ્ત થઈ શકે છે : WHO
WHOના (World Health Organization) વડાએ જણાવ્યું હતું કે, જો મુખ્ય લક્ષ્યો હાંસલ કરવામાં આવે તો સંક્રમણનો ઘાતક તબક્કો આ વર્ષે સમાપ્ત થઈ શકે છે, વિશ્વ સંસ્થાના ડાયરેક્ટર-જનરલ ગેબ્રેયેસસે સોમવારે સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને તમાકુના ઉપયોગ સામે, બેક્ટેરિયા વિરોધી સારવાર જેવી વૈશ્વિક ચિંતાઓ પર વાત કરી હતી.
સંક્રમણના ઘાતક તબક્કાનો અંતએ આપણી સામૂહિક પ્રાથમિકતા હોવી જોઈએ
સંક્રમણના ઘાતક તબક્કાનો અંત એ આપણી સામૂહિક પ્રાથમિકતા હોવી જોઈએ, પરંતુ એવું માનવું ખતરનાક હશે કે, ઓમિક્રોન વાયરસનું છેલ્લું સ્વરૂપ હશે અથવાસંક્રમણ સમાપ્ત થવાનો છે. તેનાથી વિપરીત વૈશ્વિક સ્તરે વાયરસના દેખાવ માટે આદર્શ પરિસ્થિતિ અસ્તિત્વમાં છે.