અમૃતસર:પંજાબની કાઉન્ટર ઈન્ટેલિજન્સ (સીઆઈ) ટીમે બે દિવસ બાદ ફરી એકવાર હથિયારોનો કન્સાઈનમેન્ટ રિકવર કર્યો છે. આ હથિયારો ફરી એકવાર ફિરોઝપુર બોર્ડર પરથી મળી આવ્યા છે. ડીજીપી ગૌરવ યાદવે આ વાતની પુષ્ટિ કરી છે. (Weapon Smuggling At India Pak Border)કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ હથિયારો પાકિસ્તાનથી ડ્રોન દ્વારા ભારતીય સરહદમાં મોકલવામાં આવ્યા હતા.
સૂચનાના આધારે કાર્યવાહી: પ્રાપ્ત માહિતી મુજબ, સીઆઈ અમૃતસરની ટીમને સરહદ પારથી હથિયારોની શિપમેન્ટની માહિતી મળી હતી. ઇનપુટ્સની પુષ્ટિ થયા પછી, AIG CI અમૃતસર અમરજીત સિંહ બાજવાની દેખરેખ હેઠળ એક ટીમને ફિરોઝપુર રવાના કરવામાં આવી હતી. સીઆઈની ટીમ ફિરોઝપુર પહોંચી અને બીએસએફનો સંપર્ક કર્યો હતો. જેમણે નિયત માહિતી સાથે સ્થળ પર તલાશી લેતા હથિયારોનો સ્ટોક મળી આવ્યો હતો.
હેવી આર્મ્સ રીકવર: ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે, પોલીસે હથિયારોના કન્સાઈનમેન્ટમાંથી 5 એકે 47 અને 5 પિસ્તોલ રીકવર કરી છે. એટલું જ નહીં, એકે 47ના 5 મેગેઝીન અને પિસ્તોલના 10 મેગેઝીન પણ મળી આવ્યા છે. તેનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યને સમૃદ્ધ બનાવવા પોલીસ તૈયારઃ આ અંગે ડીજીપી ગૌરવ યાદવનું કહેવું છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાજ્યને સમૃદ્ધ બનાવવાના હેતુથી પંજાબ પોલીસ સંપૂર્ણ તૈયારી સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે પંજાબ પોલીસ રાજ્યને સુરક્ષિત અને અપરાધ મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
અગાઉ મળી આવ્યા હથિયારઃ પંજાબ પોલીસે CI અમૃતસરની ટીમના ઇનપુટના આધારે બે દિવસ પહેલા ફિરોઝપુર બોર્ડર પરથી 30 નવેમ્બરે હથિયારોનો એક કેશ રિકવર કર્યો હતો. તેની પાસેથી 5 એકે 47 અને 5 પિસ્તોલ પણ મળી આવી છે. પરંતુ આ કન્સાઈનમેન્ટની સાથે સીઆઈની ટીમે 13 કિલો હેરોઈનનું કન્સાઈનમેન્ટ પણ જપ્ત કર્યું છે.