- અમે (શિવસેના અને ભાજપ) કદી દુશ્મન રહ્યા નથીઃ દેવેન્દ્ર ફડણવીસ
- મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી
- અમે કોઈ જાહેર કાર્યક્રમમાં એક-બીજાની સામે આવી જઇએ છે, તો જરૂર મળીએ છેઃ સંજય રાઉત
મુંબઇ: મહારાષ્ટ્ર(Maharashtra)ના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) હંમેશાં ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન સાધતા જોવા મળ્યા છે, પરંતુ તાજેતરના દિવસોમાં ભાજપ અને શિવસેનાની વધતી નિકટતા પછી તેમણે રવિવારે બધાને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, શિવસેના(Shiv Sena) તેમનો દુશ્મન નથી. જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે, શું બન્ને પક્ષો ફરીથી એક સાથે આવે તેવી સંભાવના છે, તો તેમણે જવાબ આપ્યો કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર , CM વિજય રૂપાણીએ ફડણવીસને પાઠવી શુભેચ્છા
વર્તમાન સંજોગો અનુસાર નિર્ણય લેવામાં આવે છે
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, 'અમે (શિવસેના અને ભાજપ) કદી દુશ્મન રહ્યા નથી. તે અમારા મિત્ર હતા અને જેની સામે તેઓ લડ્યા, તેમની સાથે સરકાર બનાવી અને તેઓએ અમને છોડી દીધા. રાજકારણમાં કોઈ આગર-મગર હોતું નથી. વર્તમાન સંજોગો અનુસાર નિર્ણય લેવામાં આવે છે.
મરાઠા અનામતના મુદ્દે તેમની વચ્ચે વાતચીત થઈ હતીઃ ઠાકરે