ગુજરાત

gujarat

By

Published : Apr 4, 2022, 8:22 PM IST

ETV Bharat / bharat

વિનય મોહન ક્વાત્રા ભારતના નવા વિદેશ સચિવ બનશે

વિનય મોહન ક્વાત્રા ભારતના નવા વિદેશ સચિવ (new foreign secretary of India ) બનશે. હાલમાં તેઓ નેપાળમાં ભારતના રાજદૂત છે. વર્તમાન વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાનો (Foreign Secretary Harshvardhan Shringala) કાર્યકાળ 30 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે.

વિનય મોહન ક્વાત્રા ભારતના નવા વિદેશ સચિવ બનશે
વિનય મોહન ક્વાત્રા ભારતના નવા વિદેશ સચિવ બનશે

નવી દિલ્હી: નેપાળમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાને (indian ambassador in nepal vinay kwatra) સોમવારે નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ હર્ષવર્ધન શૃંગલાનું (Foreign Secretary Harshvardhan Shringala) સ્થાન લેશે, જેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. કર્મચારી મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. 1988-બેચના ભારતીય વિદેશ સેવા IFS અધિકારી, ક્વાત્રાએ વોશિંગ્ટન અને બેઇજિંગમાં ભારતના રાજદ્વારી મિશનમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી છે. 32 વર્ષની તેમની સેવા દરમિયાન તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો:ક્રિમિનલ પ્રોસિજર આઇડેન્ટિફિકેશન બિલ 2022 પર લોકસભામાં ચર્ચા, ગૃહ પ્રધાને કહ્યું..

આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ 30 એપ્રિલ 2022 ના રોજ શૃંગલાની નિવૃત્તિ પર ક્વાત્રાની વિદેશ સચિવના પદ પર નિમણૂકને મંજૂરી આપી છે. વર્ષ 2020માં નેપાળમાં રાજદૂત તરીકે નિયુક્ત થયા પહેલા ક્વાત્રાએ ઓગસ્ટ 2017 થી ફેબ્રુઆરી 2020 સુધી ફ્રાન્સમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી હતી.

આ પણ વાંચો:દેહરાદૂનના દાદીએ પોતાની સંપત્તિ કરી રાહુલ ગાંધીને નામ, કોર્ટમાં વસિયત કરી રજુ

ABOUT THE AUTHOR

...view details