ગુજરાત

gujarat

By

Published : Sep 5, 2022, 4:28 PM IST

Updated : Sep 5, 2022, 7:48 PM IST

ETV Bharat / bharat

ભાજપનું કેજરીવાલ સરકાર પર સ્ટિંગ ઓપરેશન, વીડિયો કર્યો જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક પ્રેસ કોન્ફરન્સમાં એક વીડિયો જાહેર કર્યો છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો છે કે, આ વીડિયો સ્ટિંગ ઓપરેશનનો (Sting operation on Kejriwal government) છે. જેના દ્વારા ભાજપે કેજરીવાલ સરકારની આબકારી નીતિને (Liquor Excise policy Delhi) લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. આ વીડિયોમાં જે વ્યક્તિ શનિ મારવાહના પિતા કુલવિંદર મારવાહ છે, જે એક્સાઇઝ કેસમાં CBI દ્વારા નોંધાયેલી FIRમાં આરોપી નંબર 13 છે. BJP Slams On AAP Government

ભાજપનું કેજરીવાલ સરકારનો પર સ્ટિંગ ઓપરેશન
ભાજપનું કેજરીવાલ સરકારનો પર સ્ટિંગ ઓપરેશન

નવી દિલ્હી :કેજરીવાલ સરકાર પર દારૂ કાંડને લઈને વિવાદો વધતા જ જઈ રહ્યા છે. આ મામલે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાજપનો દાવો છે કે, તેમના દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને કેજરીવાલ સરકાર સામે એક્સાઇઝ કેસને (Liquor Excise policy Delhi) લઈને અનેક બાબતો સામે લાવવામાં આવી છે. આ બબાતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, જો તેઓ ભ્રષ્ટાચાર કરતા જોવા મળે તો સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ અને રેકોર્ડિંગ અમને મોકલવામાં આવે, અમે સત્ય બતાવીશું." પરંતુ આજે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે સ્ટિંગ માસ્ટરનો સ્ટિંગ બતાવવા જઈ રહ્યા છીએ.

ભાજપ દ્વારા વીડિયો જાહેર : દિલ્હી સરકારની નવી આબકારી નીતિ પર કથિત કૌભાંડના આરોપો બાદ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો દ્વારા ભાજપે કૌભાંડોના આરોપોને લઈને AAP સરકાર પર પ્રહારો કર્યા છે. BJP Slams On AAP Government

દારૂનીતિ પર બબાલ : આ વીડિયોમાં ભાજપે દાવો કર્યો છે કે, તેમાં દેખાતો વ્યક્તિ શનિ મારવાહના પિતા કુલવિંદર મારવાહ છે, જે એક્સાઈઝ કેસમાં CBI દ્વારા નોંધાયેલી FIRમાં 13 નંબરનો આરોપી છે. આ વીડિયોના આધારે આરોપ લગાવવામાં આવ્યો છે કે, દિલ્હીમાં દારૂની નીતિ દ્વારા દલાલી કમાણી કરવામાં આવી હતી. સંબિત પાત્રાએ કહ્યું કે, આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે બતાવવા જઈ રહ્યા છીએ તે સ્ટિંગ માસ્ટર થઈ ગયું છે. (Sting operation on Kejriwal government)

મિત્ર ઠેકેદારોને છુટ : તેમણે કહ્યું, "પહેલી વાત એ છે કે 80 ટકાનો નફો દિલ્હીના લોકોના ખિસ્સામાંથી કાઢે છે, મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે દલાલી દ્વારા પોતાના ખિસ્સામાં નાખ્યો છે. બીજી વાત એ છે કે, તેઓએ પોતાનું કમિશન રાખી લીધું છે અને પછી દિલ્હીની જનતા સાથે જે કરવું હોય તે કરો, કેજરીવાલ અને સિસોદિયાએ પોતાના મિત્ર ઠેકેદારોને છુટ આપી છે, ત્રીજી વાત એ છે કે, બ્લેક લિસ્ટેડ કંપનીઓને બોલાવીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ચોથી મોટી વાત એ છે કે, આખા મામલામાં વ્હાઇટ મનીને બ્લેક મનીમાં કન્વર્ટ કરીને કેજરીવાલ અને સિસોદિયા જીને પૈસા મોકલવામાં આવ્યા હતા. Liquor Excise policy Controversy

Last Updated : Sep 5, 2022, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details