હૈદરાબાદ:વીર બાલ દિવસ ગુરુ ગોવિંદ સિંહના પુત્રો ફતેહ સિંહ અને જોરાવર સિંહની શહાદતને યાદ કરવાનો અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો દિવસ છે. 9 જાન્યુઆરી 2022 ના રોજ, ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે શીખ ગુરુના પુત્રોની શહાદતની યાદમાં 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે મનાવવામાં આવશે. આ દિવસ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના સન્માનમાં જાહેર કરવામાં આવ્યો હતો. ગુરુ ગોવિંદ સિંહ ખાલસાના સ્થાપક અને શીખોના દસમા ગુરુ હતા.
ઈતિહાસ:સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહના બલિદાનની યાદમાં વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. પંજાબના સરહિંદમાં મુઘલ સેનાએ સાહિબજાદા જોરાવર સિંહ જે માત્ર 6 વર્ષના હતાં અને ફતેહ સિંહ જે માત્ર નવ વર્ષના હતા તેમની હત્યા કરી નીપજાવી હતી. સાહિબજાદા અજીત સિંહ, સાહિબજાદા જુઝાર સિંહ, સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહ આ ચાર શીખોના દસમા અને છેલ્લા ગુરુ ગુરૂ ગોવિંદ સિંહજીના પુત્રો હતા. આનંદપુર સાહિબ કિલ્લામાં, મુઘલ સેનાએ ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના સૈનિકો પર હુમલો કર્યો. મુઘલો દ્વારા આનંદપુર સાહિબના કિલ્લાને મહિનાઓ સુધી ઘેરી લીધા બાદ ખાદ્યસામગ્રી અને અન્ય જરૂરિયાતો ઓછી થવા લાગી. ત્યાર સુધીમાં, ઔરંગઝેબે ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના પરિવારને આનંદપુરની બહાર સલામત રીતે બહાર નીકળી જવાની રજૂઆત કરી હતી.