શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે (DGP Dilbag Singh Statement) કહ્યું કે, વૈષ્ણો દેવી મંદિરમાં થયેલી નાસભાગની (Vaishno Devi Stampede) ઉચ્ચ સત્તાવાળી સમિતિની તપાસ સાથે પોલીસ તપાસ પણ કરવામાં આવશે અને અથડામણમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અથડામણને કારણે મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી.
આ ઘટના કેટલાક લોકોના 'બેજવાબદાર' વર્તનનું પરિણામ: દિલબાગ સિંહ
રવિવારે પૂછવામાં આવ્યું કે શું પોલીસ અથડામણમાં સામેલ લોકોની ઓળખ થશે તો તેમની સામે પગલાં લેશે, દિલબાગ સિંહે કહ્યું, "હા, પોલીસ પણ તેમનું કામ કરશે." તેમણે કહ્યું કે સરકારે "દુર્ભાગ્યપૂર્ણ" ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ ઘટના કેટલાક લોકોના 'બેજવાબદાર' વર્તનનું પરિણામ છે. સમિતિના સભ્યોમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી છે, જેના અધિકારક્ષેત્રમાં મંદિર આવે છે.
નાસભાગ બાદ સિંહ પોતે મંદિર ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો
DGPએ સૌપ્રથમ કહ્યું હતું કે, કેટલાક લોકો વચ્ચેના અથડામણને કારણે નાસભાગ મચી હતી. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડેપણ મોડી રાત્રે આ વાતની પુષ્ટિ કરી હતી. 1 જાન્યુઆરીએ મોડી રાત્રે લગભગ 2.15 વાગ્યે બિલ્ડિંગના ગેટ નંબર ત્રણ પાસે નાસભાગ મચી ગઈ હતી. શનિવારે નાસભાગ બાદ સિંહ પોતે મંદિર ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.