ન્યૂઝ ડેસ્ક : શરણાઇનો સમાનાર્થી તરીકે ઓળખાતા ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંની તેમના જ જિલ્લામાં અવગણના થાય છે. સ્થાનિક અધિકારીઓની ઉદાસીનતા કારણે તેમના નિધનના 15 વર્ષ પછી પણ તેમને લોકો યાદ રાખે તેવી કોઇ પહેલ કરવામાં આવી નથી જેના કારણે આવનારી પેઢી બિસ્મિલ્લાહ ખાંને ફક્ત પુસ્તકોના માધ્યમથી જ યાદ રાખી શકશે.
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંનો જન્મ 21 માર્ચ 1916ના રોજ ડુમરાવ શહેરમાં ઠઠેરી બજારમાં બચઇ મિંયાના ઘરે થયો હતો. જેમણે શરણાઇ વાદનથી સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી. જો કે હવે આ સિતારો પોતાના જ ઘરમાં ગુમ થઇ ગયો છે
સમગ્ર જિલ્લામાં નથી કોઇ પ્રતિક
ડુમરાવની ગલીઓથી માંડીને દેશના તમામ ખૂણામાં લોકોને પોતાની ધૂનથી ભાવવિભોર કરનાર ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં તેમની જમીન પર જ ઉપક્ષિત છે. 21 ઑગસ્ટ 2006માં તેમનું નિધન થયું હતું તે ઘટનાને 15 વર્ષ થયા છતાં કોઇ પણ સ્થાનિક અધિકારીએ તેમની યાદને સાચવવાનું કાર્ય કર્યું નથી. આજે પણ તેમના જિલ્લામાં તેમના નામનું કોઇ ભવન, સંગ્રહાલય, શાળા કે સંગીત અકાદમી નથી.
ફક્ત વાતો સાબિત થઇ પ્રધાનોની વાતો
2019માં લોકસભાની ચૂંટણી પહેલાં 2018માં કેન્દ્રીય સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અને સ્થાનિક સાંસદ અશ્વિની કુમાર ચૌબે બિસ્મિલ્લા ખાંની યાદને સાચવવા માટે અનેક ઘોષણાઓ કરી હતી. ડુમરાવ રેલ્વે સ્ટેશનની ટિકીટ બારીની દિવાલ પર તેમના શરણાઇ વગાડતા ચિત્રો પર બનાવડાવ્યા હતાં પણ ચૂંટણી જીત્યા બાદ તમામ વાયદાઓ ભુલાઇ ગયા.