વોશિંગ્ટન:વ્હાઇટ હાઉસે (White House) મંગળવારે જણાવ્યું હતું કે, ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટની (SCO Summit 2022)બાજુમાં એક બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને (Russian President Vladimir Putin) આપેલો સંદેશ 'સિદ્ધાંત પર આધારિત નિવેદન' હતું જેને તેમણે સુધાર્યું હતું. તે યોગ્ય છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, અમેરિકા તેનું સ્વાગત કરે છે. ગયા અઠવાડિયે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ (Shanghai Cooperation Organization Summit) દરમિયાન ઉઝબેકિસ્તાનના સમરકંદમાં પુતિન સાથેની મુલાકાત દરમિયાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિને કહ્યું હતું કે, આજનો યુગ યુદ્ધનો સમય નથી અને મેં તમારી સાથે ફોન પર વાત કરી છે.
અમેરિકાએ યુક્રેન મામલે પુતિનને આપવામાં આવેલ મોદીના સંદેશનું કર્યું સ્વાગત - શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને (us national security advisor jake sullivan) વ્હાઇટ હાઉસ (White House) ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જે કહ્યું તે સિદ્ધાંત પર આધારિત નિવેદન છે જે તેઓ (મોદી) સાચા અને યોગ્ય માને છે.

સુલિવને કહ્યું કે, ભારતીય નેતાની ટિપ્પણી પ્રશંસનીય છે :આના પર પુતિને મોદીને કહ્યું કે તેઓ યુક્રેન યુદ્ધ અંગે ભારતની ચિંતાઓથી વાકેફ છે અને રશિયા તેને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવા માટે શક્ય તેટલું બધું કરશે. મોદીની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા, યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને વ્હાઇટ હાઉસમાં (White House) પત્રકારોને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ જે કહ્યું તે સિદ્ધાંત પર આધારિત નિવેદન છે કે, તેઓ (મોદી) સાચા અને યોગ્ય માને છે. અમેરિકા તેનું સ્વાગત કરે છે. સુલિવને કહ્યું કે, ભારતીય નેતાની ટિપ્પણી પ્રશંસનીય છે, જેણે રશિયાને સંદેશ આપ્યો કે, યુદ્ધ સમાપ્ત થવાનો સમય આવી ગયો છે.