જગતિયાલ: તેલંગણાના જગતિયાલ જિલ્લામાં મિલકતને લઈને બે સ્ત્રીઓ (Conflict Between Two Women) વચ્ચે થયેલી તકરારનો કેસ સામે આવ્યો છે. આયલાપુર, કોરુતલા મંડલ, જગતિયાલ જિલ્લાના ભૂતપૂર્વ સરપંચ, મામિદલા નરસિમ્હુલુનું ગુરુવારે માંદગીના કારણે હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં (Gandhi Hospital Hyderabad) સારવાર દરમિયાન અવસાન થયું. થોડાં વર્ષો પહેલાં પરિવાર સાથે કોરુતલા શહેરમાં આવીને સ્થાયી થયેલા નરસિમ્હુલુને બે પત્નીઓ હતી. હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે, આ બન્ને પત્ની મિલકતને (Property Transfer Case Telangana) લઈને સામસામે આવી ગઈ છે.
આ પણ વાંચો: 7 વર્ષનો છોકરો હુલ્લડ વખતે નાસી છૂટ્યો,23 વર્ષે ગામમાં માતાને શોધવા પરત આવ્યો
બીજી પત્ની પહોંચી: નરસિમ્હુલુના મૃત્યુ સમયે તેમની પ્રથમ પત્ની તેમની સાથે હતી. મૃતદેહને હૈદરાબાદથી કોરુતલા લાવવામાં આવ્યો હતો. ગુરુવારે અંતિમ સંસ્કાર કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે બીજી પત્ની ભારતીને નરસિમ્હુલુના મૃત્યુની ખબર પડી ત્યારે તે કોરુતલા નગરના પ્રકાશમ રોડ પર આવેલી પહેલી પત્નીના ઘરે તેના પતિને છેલ્લીવાર જોવા માટે પહોંચી હતી. તેમની પ્રથમ પત્ની એ તેઓએ પહેલેથી જ નરસિમ્હુલુના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી દીધી હતી. બીજી પત્ની ભારતી પતિની મિલકતમાં તેનો અડધો હિસ્સો ઇચ્છે છે. તે આ કેસમાં યોગ્ય ન્યાય મળે એવી આશા વ્યક્ત કરે છે.