ગુજરાત

gujarat

ETV Bharat / bharat

West Bengal : આસનસોલમાં માર્ગ અકસ્માતમાં ભાજપના બે નેતાઓના થયા મૃત્યું

પશ્ચિમ બંગાળમાં માર્ગ અકસ્માતમાં ભાજપના બે નેતાઓનું મૃત્યુ થયા છે. આ અકસ્માત આસનસોલ જિલ્લાના બારાબાની વિસ્તારમાં થયો હતો. ભાજપે તેને કાવતરું ગણાવી ટીએમસી પર આરોપ લગાવ્યો છે.

By

Published : Apr 10, 2023, 7:57 PM IST

West Bengal : આસનસોલમાં માર્ગ અકસ્માતમાં ભાજપના બે નેતાઓના થયા મૃત્યું
West Bengal : આસનસોલમાં માર્ગ અકસ્માતમાં ભાજપના બે નેતાઓના થયા મૃત્યું

પશ્ચિમ બંગાળ : આસનસોલ જિલ્લાના બારાબાની વિસ્તારમાં રવિવારે રાત્રે ડમ્પરની ટક્કરથી ભાજપના બે નેતાઓના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ભાજપે આ ઘટનાને પંચાયત ચૂંટણી પહેલા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસનું 'ષડયંત્ર' ગણાવ્યું છે.

માર્ગ અકસ્માતમાં ભાજપના બે નેતાઓના થયા મૃત્યું :મૃતકોની ઓળખ બબલુ સિંહ (34), મહેન્દ્ર સિંહ (32) તરીકે થઈ છે. બબલુ સિંહ ભાજપના બરબાની મંડળ (2)ના મહાસચિવ હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર, મહેન્દ્ર સિંહ મંડળના ઉપપ્રમુખ હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બારાબાનીના અમડીહા પેટ્રોલ પંપ વિસ્તારમાં આસનસોલ-ગૌરાંડી રોડ પર બની જ્યારે બંને બીજેપી નેતા બાઇક દ્વારા આસનસોલ પરત ફરી રહ્યા હતા. અજાણ્યા ડમ્પરે તેઓને કચડી નાખ્યા હતા.

આ પણ વાંચો :Dehradun news: દેહરાદૂન લછીવાલા ટોલ પ્લાઝા પર અચાનક દેખાયા 'ગજરાજ', હાઈવે પર અંધાધૂંધી

ઘટનામાં ષડયંત્ર :બબલુ સિંહને આસનસોલ જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહેન્દ્ર સિંહને આસનસોલના સેનરાલે રોડ પરના એક ખાનગી નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ તરત જ આસનસોલ જિલ્લા હોસ્પિટલમાં ભાજપના નેતાઓનો મેળાવડો થયો હતો. ભાજપના પ્રદેશ સમિતિના સભ્ય કૃષ્ણાન્દુ મુખોપાધ્યાય, જિલ્લા અધ્યક્ષ દિલીપ ડે, જિલ્લા મહાસચિવ બપ્પા ચટ્ટોપાધ્યાય અને અન્ય ઘણા લોકોએ ભાજપના બંને નેતાઓના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભાજપના જિલ્લા અધ્યક્ષ દિલીપ ડેએ કહ્યું કે, 'મને આ ઘટનામાં ષડયંત્રની ગંધ આવી રહી છે. પંચાયતની ચૂંટણી પહેલા અમારા અધિકારીનું મૃત્યુ અકસ્માત નથી, પરંતુ હત્યા છે. તેમણે કહ્યું કે 'તપાસમાંથી ચોક્કસ સત્ય બહાર આવશે'.

આ પણ વાંચો :Bihar Politics : "નીતીશ તેજસ્વીને ફેન્સી ડ્રેસમાંથી સમય મળતો નથી", ઓવૈસીએ કહ્યું "સરકાર મુસ્લિમ બાળકોને જેલમાં મોકલી રહી છે"

ઘટના પાછળ ટીએમસીના કાર્યકરોનો હાથ હોય તે આશ્ચર્યજનક નથી :તેમણે કહ્યું કે 'તપાસમાંથી ચોક્કસ સત્ય બહાર આવશે'. ભાજપના નેતાએ આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી હતી જેથી ભાજપના બંને નેતાઓના મૃત્યુનું સાચું કારણ જાણવા મળે. ભાજપના જિલ્લા મહાસચિવ બપ્પા ચટ્ટોપાધ્યાયે પણ ભાજપના બે નેતાઓના મૃત્યું પર શોક વ્યક્ત કર્યો હતો. ચટ્ટોપાધ્યાયે કહ્યું કે, 'બબલુ સિંહ બારાબાની વિસ્તારમાં તૃણમૂલ પર નજર રાખીને રાજનીતિ કરતો હતો.' તેમણે કહ્યું કે 'તેમના કારણે બરબાની વિસ્તારમાં ભાજપનું સંગઠન મજબૂત બન્યું છે. તેથી જ પંચાયત ચૂંટણી પહેલા બબલુ સિંહને હટાવવામાં આવ્યા હતા. આ કોઈ સાદો અકસ્માત નથી. આ ઘટના પાછળ ટીએમસીના કાર્યકરોનો હાથ હોય તે આશ્ચર્યજનક નથી.

ABOUT THE AUTHOR

...view details