ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર ટનલ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને મળશે આટલા રૂપિયાનુ વળતર

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં નિર્માણાધીન ટનલ અકસ્માતમાં માર્યા ગયેલા મજૂરોના પરિવારોને (Ramban tunnel accident compensation) વળતર તરીકે 16 લાખ રૂપિયા આપવામાં (TUNNEL ACCIDENT RS 16 LAKH COMPENSATION) આવશે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 10 થયો છે.

By

Published : May 22, 2022, 9:20 AM IST

જમ્મુ કાશ્મીર ટનલ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને મળશે આટલા રૂપિયાનુ વળતર
જમ્મુ કાશ્મીર ટનલ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને મળશે આટલા રૂપિયાનુ વળતર

બનિહાલ:જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી ( Ramban tunnel accident compensation) પડતાં જીવ ગુમાવનારા 10 મજૂરોના પરિવારોને 16 લાખ રૂપિયાની વળતરની રકમ આપવામાં (TUNNEL ACCIDENT RS 16 LAKH COMPENSATION) આવશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ શનિવારે આ માહિતી આપી. ટનલ દુર્ઘટનાના બે દિવસ બાદ શનિવારે કાટમાળમાંથી વધુ નવ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જેનાથી અકસ્માતમાં મૃત્યુઆંક 10 થયો હતો.

આ પણ વાંચો:કેદારનાથમાં નંદી અને કૂતરાનો વીડિયો આ કારણોસર થઇ રહ્યો છે વાયરલ

15 લાખ રૂપિયાનું વળતર:અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ ગુમ થયેલા કામદારોના મૃતદેહોની પુનઃપ્રાપ્તિ સાથે શનિવારની મોડી સાંજે બે દિવસ સુધી ચાલેલા બચાવ અભિયાનનો અંત આવ્યો હતો. તેમાંથી પાંચ કામદારો પશ્ચિમ બંગાળના, બે કામદારો જમ્મુ-કાશ્મીર અને નેપાળના અને એક કામદાર આસામના હતા. ડેપ્યુટી કમિશનર મુસરત ઇસ્લામે જણાવ્યું હતું કે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા તરફથી મળેલી સૂચના મુજબ નિર્માણ કાર્ય કરી રહેલી કંપની દ્વારા ટનલ અકસ્માતમાં જીવ ગુમાવનારા મજૂરોના પરિવારજનોને 15 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

આ પણ વાંચો:ધો.12ના વિદ્યાર્થીએ બનાવ્યું મિનિ ટ્રેક્ટર, જાણો કેટલો ખર્ચો થયો અને શું છે ખાસ એમાં

ઘાયલોને સારી સારવારની વ્યવસ્થા:લેફ્ટનન્ટ ગવર્નરે મૃતકોના નજીકના સંબંધીઓને એક-એક લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી છે. દરમિયાન, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સુરંગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મજૂરોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે ઘાયલોને સારી સારવારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ આ ઘટનામાં લોકોના મોતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. ઉમરે ટ્વીટ કર્યું, 'ખૂબ દુર્ભાગ્યપૂર્ણ. રામબનમાં કામ પર થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા દસ લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. શોકગ્રસ્ત પરિવારોને આ નુકસાન સહન કરવાની શક્તિ મળે.

ABOUT THE AUTHOR

...view details