- ત્રિપુરાની રાજધાનીમાં શેરીના બાળકો પણ કરશે અભ્યાસ
- આ બાળકો બાળ મજૂરી કરી કમાયેલા રુપિયા ગણવામાં પણ અસમર્થ
- અગરતલાના 5 ભાઈ-બહેન દ્વારા બાળકોને શિક્ષણ આપવા માટેની પહેલ
ત્રિપુરા: રાજ્યની રાજધાની અગરતલામાં શેરીઓમાં વસ્તા અમુક બાળકો એવા છે કે જેઓ શિક્ષણના મહત્વથી અજાણ હતા. આ બાળકોને પેન્સિલ કેવી રીતે પકડવી તેનાથી પણ અજાણ હતા. આ બાળકો ક્યારેય શાળાનું પગથિયું નથી ચડ્યુ. આવા સમયે અગરતલાના એક જ પરિવારના 5 ભાઈ-બહેનો આવા બાળકોની વ્હારે આવ્યા છે.
જયંત મજુમદારે ETV Bharat સાથે કરી વાતચીત
5 ભાઈ બહેનોમાંથી જયંત મજુમદારે ETV Bharat સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ કે, તેઓ જ્યારે રસ્તા પરથી નીકળતા તો જોતા કે કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા આ બાળકોને ભોજન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. પરંતુ તેઓ માટે કોઈ સંસ્થા દ્વારા બાળકોના શિક્ષણ કોઈ પહેલ કરવામાં આવી ન હતી.
બાળકોના મુળભૂત શિક્ષણ માટે એક પહેલ કરી
અગલતરાના આ 5 ભાઈ-બહેનોએ મળી બાળકોના મુળભૂત શિક્ષણ માટે એક પહેલ કરી છે . આ પહેલ અંતર્ગત 7 બાળકો અભ્યાસ માટે આવ્યા છે. જેમાંથી 4 બાળકોને ચાઈલ્ડ હોમ સાથે વાત કરી સરકારી ગાઈડલાઈન પ્રમાણે ચાઈલ્ડ કેર સંસ્થાને સોંપ્યા છે. આ બાળકો હવે ચાઈલ્ડ હોમ કેર સંસ્થામાં રહેશે. સાથે જ તેમણે કહ્યુ કે, તેમને શેરીના બાળકોના માતા-પિતા તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. બધા તેમના બાળકોને મૂળભૂત શિક્ષણ માટે મોકલવામાં સહકાર આપી રહ્યા છે.