નવી દિલ્હી:શ્રીલંકાએક મહિનામાં આઇકોનિક પ્રોજેક્ટ ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ફાર્મને (Trincomalee oil tank farm) સંયુક્ત રીતે વિકસાવવા માટે ભારત સાથે કરાર કરવા માટે તૈયાર છે. શ્રીલંકાના ઉર્જાપ્રધાન ઉદયા ગમ્મનપિલાએ (Sri Lanka's energy minister Udaya Gammanpila) રવિવારે આ જાહેરાત કરી હતી. આ જાહેરાતને બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવાની દિશામાં એક પગલા તરીકે જોઈ શકાય છે. આ પ્રોજેક્ટ શ્રીલંકાના પૂર્વી જિલ્લા ત્રિંકોમાલીમાં સ્થાપિત થવાનો છે, ત્રિંકોમાલી એક બંદર શહેર છે.
ભારતના પૂર્વ રાજદૂત જિતેન્દ્ર ત્રિપાઠીએ જણાવાયું
આ ઘટના પર ભારતના પૂર્વ રાજદૂત જિતેન્દ્ર ત્રિપાઠીએ (Former Ambassador of India Jitendra Tripathi) જણાવાયું હતું કે, 'ભારત લાંબા સમયથી આ ક્ષેત્ર પર ચીનના પ્રભાવને બદલવા અથવા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ સંકેત આપ્યા છે કે, તેઓ સંબંધોને મજબૂત કરવા માટે ભારત સાથે વાત કરશે. તેવી જ રીતે શ્રીલંકામાં ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકર તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિને (Indian Foreign Minister S. Jaishankar met the President of Sri Lanka) મળ્યા હતા.
કોલંબો વેસ્ટ પ્રોજેક્ટ ભારતને આપવામાં આવ્યો
સમસ્યાઓ હોવા છતાં કોલંબો વેસ્ટ પ્રોજેક્ટ ભારતને આપવામાં આવ્યો છે અને હવે શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ફાર્મ વિકસાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કરવું ચોક્કસપણે ભારત માટે ખૂબ ફાયદાકારક રહેશે, કારણ કે, આ વિસ્તારમાં તમિલ મૂળના શ્રીલંકાના લોકો વસે છે. તેથી ભારત માટે ત્યાં પગ જમાવવો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.
ભારતે સંબંધો સુધારવા માટે મ્યાનમારનો સંપર્ક કર્યો
ભારતના પૂર્વ રાજદૂત જિતેન્દ્ર ત્રિપાઠીએ જણાવાયું હતું કે, શ્રીલંકા સાથે ભારતના સંબંધો મહિન્દા રાજપક્ષેના અગાઉના શાસનકાળ કરતાં વધુ સારા રહ્યા છે. માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઈરાન સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે અને તાજેતરમાં જ ભારતે સંબંધો સુધારવા માટે મ્યાનમારનો સંપર્ક કર્યો છે. તેથી એવું કહી શકાય કે ભારત હિંદ મહાસાગર (ખાસ કરીને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી)માં ચીનને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તે ઘણી હદ સુધી કરવા સક્ષમ છે.
ત્રિંકોમાલી પ્રોજેક્ટ માટે નવી દિલ્હી અને કોલંબો વચ્ચેનો કરાર
ત્રિંકોમાલી પ્રોજેક્ટ માટે નવી દિલ્હી અને કોલંબો વચ્ચેનો કરાર શ્રીલંકાની નજીક જવાની દિશામાં એક બીજું પગલું હશે. ત્રિંકોમાલી ઓઈલ ટેન્ક ફાર્મનું વ્યૂહાત્મક મહત્વ એ છે કે, તે આ ક્ષેત્રમાં ભારતની સ્થિતિને મજબૂત કરશે, કારણ કે શ્રીલંકાના નેતાઓએ જણાવાયું હતું કે, દેશ ખૂબ જ અનિશ્ચિત સ્થિતિમાં છે કારણ કે તે બે મોટી શક્તિઓ ભારત અને ચીનની વચ્ચે ફસાયેલો છે.