ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રિમ કાર્ટના 9 જજો આજે શપથ ગ્રહણ કરશે, સોમવારે સમગ્ર દેશમાં જન્માષ્ઠમીની ઉજવણી કરાઈ, આ સહિતની કેટલીક રસપ્રદ વાંતો, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

By

Published : Aug 31, 2021, 6:01 AM IST

top news
top news

આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

  • આજથી દેશમાં જવાહર નવોદય વિદ્યાલયો 50 ટકા ક્ષમતા સાથે ખુલશે

જવાહર નવોદય વિદ્યાલય (JNVs) સંપૂર્ણપણે આવાસીય, સહ-શૈક્ષણિક શાળાઓ CBSE સાથે જોડાયેલી છે. શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ આ શાળાઓનું સંચાલન કરે છે. નવોદય વિદ્યાલય સમિતિએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સૂચના મુજબ 9થી 12ના વર્ગ માટે તબક્કાવાર 50 ટકા ક્ષમતા સાથે ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.

  • સુપ્રીમ કોર્ટના 9 જજો આજે શપથ ગ્રહણ કરશે

2027માં ભારતને પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક માટેના વોરંટ પર હસ્તાક્ષર કર્યા હતા, ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ 34 જગ્યાઓ છે. 18 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કુલ 9 જજોની નિમણૂકની ભલામણ કરી હતી. આ બાદ, ટોચની કોર્ટમાં માત્ર એક જ પોસ્ટ ખાલી રહેશે. સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, 31 ઓગસ્ટના રોજ નવા જજોને શપથ આપવામાં આવશે.

  • આજે અફઘાનિસ્તાનથી અમેરિકી સેના પરત જશે

તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિ સર્જાય છે, તેનાથી સૌ કોઈ વાકેફ છે, ત્યારે અમેરિકી સેનાને લઈને અફઘાનિસ્તાન અસરફ ગનીનીન સરકાર સાથે કરાર કર્યા હતા, તેને અમેરિકા આજે પૂર્ણ કરવા જઈ રહી છે. આજે અફઘાનિસ્તાનીઓમાં સ્થિત અમેરિકી સૈનિકો અમેરિકા પરત ફરશે.

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

  • હાઇકોર્ટના જજનો સુપ્રિમમાં નિમણૂંક થતા ગુજરાત રાજભવનમાં વિદાય સમારોહ યોજાયો

રાષ્ટ્રપતિએ ગુજરાત હાઇકોર્ટના 2 મુખ્ય ન્યાયમૂર્તિ એવા જસ્ટિસ વિક્રમનાથ અને બીનાબેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરી છે ત્યારે શનિવારે ગાંધીનગર રાજભવન ખાતે બેલાબેન ત્રિવેદી અને વિક્રમ નાથનું વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ વિદાય સમારોહમાં હાજર રહ્યાં હતાં. click here

  • ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને 2 ગોલ્ડ સાથે કુલ 7 મેડલ મળ્યા

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે ઈતિહાસ રચતાં ભારતની અવની લેખરાએ (Avani lekhara ) 10 મિટર એર રાઇફલ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતના જેવેલિન થ્રોઅર સુમિત અંતિલે આ સ્પર્ધામાં ભારતનો બીજો મેડલ જીત્યો છે. તેણે સોમવારે પુરુષોની (F64 કેટેગરી) ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, ભારતને સોમવાર સુધીમાં કુલ 7 મેડલ મળ્યા છે.click here

  • દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો,

શ્રાવણ માસમાં જન્માષ્ટમી પર્વનું અનેરૂ મહત્વ હોય છે. આ દિવસે દરેક લોકો પોતાના ઘરમાં કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ મનાવે છે. તેમજ વિવિધ કૃષ્ણ મંદિરોમાં જઈને પૂજા-અર્ચના કરી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરે છે, ત્યારે રાજ્યભરમાં પણ આજ રીતે ધામધુમથી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. click here

EXCLUSIVE

પ્રખ્યાત સિંગર મૈથિલી ઠાકુરની જન્માષ્ઠમી પ્રસંગે ખાસ વાતચીત

જન્માષ્ટમીનો પ્રસંગ છે અને મૈથિલી ઠાકુરના ભાજનોના રેકોર્ડિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન, યુવા ગાયક અને સોશિયલ મીડિયા સ્ટાર ગર્લ મૈથિલી ઠાકુર એક વિશિષ્ટ વાતચીત માટે ETV ભઆથ સાથે જોડાયા હતા ખરેખર, મૈથિલી ઠાકુર દેશના તે મધ્યમ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ઘણી પ્રતિભા છે, પરંતુ તેને વ્યક્ત કરવા અને ખ્યાતિ મેળવવા માટે જીવન માટે સંઘર્ષ કરવો પડે છે. click here

સુખીભવ:

કોરોના ટકી રહેવા માટે તેનો આકાર અને બંધારણ બદલી શકે છેઃ અભ્યાસ

કોવિડ-19નું કારણ બનનારો વાયરસ સાર્સ-કોવ-2નું આનુવંશિક મટિરિયલ તેના અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે આકાર અને માળખું બદલી શકે છે. સંશોધકોનું કહેવું છે કે આ શોધ ચેપી રોગોની સારવાર માટે વધુ અસરકારક દવાઓના ઉત્પાદનમાં મદદ કરી શકે છે. સ્ટ્રેટ ટાઇમ્સે જણાવ્યું કે, ડ્યૂક-એનયુએસ મેડિકલ સ્કૂલ, જીનોમ ઇન્સ્ટિટ્યુટ ઑફ સિંગાપુર (જીઆઈએસ) અને બાયોઇનફોર્મેટિક્સ ઇન્સ્ટિટ્યુટ (બીઆઈઆઈ)ના રિસર્ચર્સના નેતૃત્વમાં કરવામાં આવેલી સ્ટડીથી જાણવા મળ્યું છે કે વાયરસનું રાઇબોન્યૂક્લિકએસિડ (આરએનએ) પોતાના વિકાસ અને અસ્તિત્વ માટે સંક્રમિત કોષોની અંદર જટિલ અને ગતિશીલ આકારમાં ફેરવાઈ શકે છે. click here

ABOUT THE AUTHOR

...view details