- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગરા મેટ્રો પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન
- સીએમ યોગી આદિત્યનાથ પણ રહેશે હાજર
- શિલાન્યાસ કાર્યક્રમમાં પીએમ વર્ચુઅલી કરશે ઉદ્ઘાટન
આગરાઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'આગરા મેટ્રો પરિયોજના'નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય પ્રધાન હરદીપ સિંહ પુરી પણ હાજર રહેશે, ઉદ્ધાટનના કાર્યક્રમનું આયોજન આગરાના પીએસી મેદાનમાં કરવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન(યુપીએમઆરસી)ના વહીવટી સંચાલક કુમાર કેશવના જણાવ્યાંનુસાર યુપીના ગવર્નર આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં વર્ચુઅલી હાજરી આપશે. યોગી સરકારનો દાવો છે કે બે વર્ષમાં આગરા મેટ્રોનું ટ્રાયલ શરૂ થઈ જશે. શહેરના અલગ અલગ બે કોરિડોરના રેલવે ટ્રેક પર વર્ષ 2025-2026 સુધીમાં મેટ્રો દોડશે.
સીએમ યોગી જનતાનું કરશે સંબોધન
ડીએમ પ્રભુ નારાયણ સિંહ અનુસાર આજે સવારે આશરે 11 વાગ્યે સીએમ યોગી રાજકીય વાયુયાન આગરાના ખેરિયા સ્થિત પંડિત દિન દયાલ ઉપાધ્યાય એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ મુખ્યપ્રધાન યોગી કાર દ્વારા પીએસી મેદાન જશે. જયાં 11 વાગ્યા થી બપોરના 12.30 સુધી શિલાન્યાસ કાર્યક્રમમાં હાજર રહેશે. પીએમ મોદીના વર્ચુઅલ ઉદ્ધાટન બાદ યોગી આદિત્યનાથ જનતાનું સંબોધન કરશે.