ગુજરાત

gujarat

By

Published : Dec 7, 2020, 7:50 AM IST

ETV Bharat / bharat

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગરા મેટ્રો પરિયોજનાનું વર્ચુઅલી ઉદ્ઘાટન

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગરા મેટ્રો પરિયોજનાનું વર્ચુઅલી ઉદ્ઘાટન કરવામાં આવશે. આગરાના પીએસી મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ રહેશે હાજર.

cx
cx

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગરા મેટ્રો પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન
  • સીએમ યોગી આદિત્યનાથ પણ રહેશે હાજર
  • શિલાન્યાસ કાર્યક્રમમાં પીએમ વર્ચુઅલી કરશે ઉદ્ઘાટન

આગરાઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'આગરા મેટ્રો પરિયોજના'નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય પ્રધાન હરદીપ સિંહ પુરી પણ હાજર રહેશે, ઉદ્ધાટનના કાર્યક્રમનું આયોજન આગરાના પીએસી મેદાનમાં કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન(યુપીએમઆરસી)ના વહીવટી સંચાલક કુમાર કેશવના જણાવ્યાંનુસાર યુપીના ગવર્નર આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં વર્ચુઅલી હાજરી આપશે. યોગી સરકારનો દાવો છે કે બે વર્ષમાં આગરા મેટ્રોનું ટ્રાયલ શરૂ થઈ જશે. શહેરના અલગ અલગ બે કોરિડોરના રેલવે ટ્રેક પર વર્ષ 2025-2026 સુધીમાં મેટ્રો દોડશે.

સીએમ યોગી જનતાનું કરશે સંબોધન

ડીએમ પ્રભુ નારાયણ સિંહ અનુસાર આજે સવારે આશરે 11 વાગ્યે સીએમ યોગી રાજકીય વાયુયાન આગરાના ખેરિયા સ્થિત પંડિત દિન દયાલ ઉપાધ્યાય એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ મુખ્યપ્રધાન યોગી કાર દ્વારા પીએસી મેદાન જશે. જયાં 11 વાગ્યા થી બપોરના 12.30 સુધી શિલાન્યાસ કાર્યક્રમમાં હાજર રહેશે. પીએમ મોદીના વર્ચુઅલ ઉદ્ધાટન બાદ યોગી આદિત્યનાથ જનતાનું સંબોધન કરશે.

અહીંથી થશે મેટ્રોના કામની શરૂઆત

આગરા મેટ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ થયા બાદ સૌથી પહેલા ફતેહાબાદ રોડ પર ટીડીઆઈ મોલ સામે તાજપૂર્વી ગેટ સ્ટેશનનું નિર્માણ શરૂ કરવામાં આવશે. જયાં સીએમ યોગી આધારશિલા રાખી શકે છે. તેમજ ત્યાં પિલર માટે ખોદકામ શરૂ કરવામાં આવશે.

10 હજાર લોકોને મળશે રોજગારી

યુપીએમઆરસીના એમડી કુમાર કેશવનું કહેવું છે કે મેટ્રોથી આગરા પર્યટનને પણ ખુબ ફાયદો થશે. શહેરના તમામ મહત્વના પર્યટક સ્થળો સુધી મેટ્રોની કનેક્ટિવિટી રહેશે. પર્યટક એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી મુસાફરી કરી શકશે. 3 થી 5 વર્ષ સુધીમાં મેટ્રો કાર્યમાં 8 થી 10 હજાર લોકોને રોજગારી મળશે.

ABOUT THE AUTHOR

...view details