ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે BJP કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર અમદાવાદ પહોંચ્યા - રાજનૈતિક કોરીડોર

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ મુખ્યપ્રધાનના નામ અંગે ગુજરાતના રાજકીય કોરીડોરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. રવિવારે બપોરે ભાજપ ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.

bjp
આજે BJP કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર અમદાવાદ પહોંચ્યા

By

Published : Sep 12, 2021, 9:12 AM IST

અમદાવાદ: ગુજરાતમાં મુખ્યપ્રધાનના નામ અંગે ચર્ચાનું બજાર ગરમ છે. ભાજપ ધારાસભ્ય દળની મહત્વની બેઠક આજે બપોરે યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ભાજપના કેન્દ્રીય નિરીક્ષક તરીકે ગુજરાતની મુલાકાત લેશે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શનિવારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું. સીએમ વિજય રૂપાણીના રાજીનામા બાદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, નીતિન પટેલ, પુરુષોત્તમ રૂપાલા, સી.આર.પાટીલના નામ મુખ્યમંત્રીની રેસમાં ચાલી રહ્યા છે. આ સાથે જ પાર્ટીના તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા છે.

પાર્ટીના કેન્દ્રીય સંગઠન પ્રધાનઓ બીએલ સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં હાજર છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ રૂપાણીએ કહ્યું કે હવે હું પાર્ટીએ આપેલી જવાબદારી નિભાવીશ. તેમણે પીએમ મોદીનો આભાર માન્યો. એટલું જ નહીં રૂપાણીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા કાર્યકર્તાને મુખ્યપ્રધાન બનાવ્યા. હવે ગુજરાતનો વિકાસ નવા નેતૃત્વમાં થવો જોઈએ.

આગામી વર્ષ 2022 માં ગુજરાત સહિત યુપી, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ પહેલાથી જ આ અંગે પોતાની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. ઉત્તરાખંડ અને કર્ણાટકમાં ભાજપે ચૂંટણી પહેલા એ જ રીતે મુખ્યમંત્રીઓ બદલ્યા છે. ગુજરાતમાં પરિવર્તન આ દિશામાં સિક્વલ જણાય છે. ભાજપે પાંચ મહિનામાં ત્રણ મુખ્યમંત્રી બદલ્યા છે.

ABOUT THE AUTHOR

...view details