ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'PM મોદીએ પણ ગોટાબાયાની જેમ ભાગવું પડશે' TMC ધારાસભ્યએ કેન્દ્ર પર નિશાન સાધ્યું, કહ્યું-

શ્રીલંકાને ટાંકીને ટીએમસી ધારાસભ્ય ઇદ્રિસ અલીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું (mla idrish ali targets pm narendra modi) છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ PM પદ પરથી રાજીનામું આપીને ભાગવું પડશે.

By

Published : Jul 11, 2022, 11:59 AM IST

PM Modi also has to run like Gotabaya
PM Modi also has to run like Gotabaya

કોલકાતાઃઆર્થિક સંકટનો સામનો કરી રહેલા (Economic crisis in Sri Lanka) શ્રીલંકામાં લોકોમાં ભારે નારાજગી (mla idrish ali targets pm narendra modi) છે. જ્યારે વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો, ત્યારે પીએમના ખાનગી આવાસને આગ ચાંપી દીધી હતી. બીજી તરફ રાષ્ટ્રપતિ તેમના નિવાસસ્થાનેથી ફરાર થઈ ગયા છે. શ્રીલંકામાં અસ્થિરતાના વાતાવરણને લઈને ભારતમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. ટીએમસી ધારાસભ્ય ઈદ્રીસ અલીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. શ્રીલંકાની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે દાવો કર્યો કે, ભારતમાં પણ આવું જ કંઈક (PM Modi also has to run like Gotabaya) થશે. તેમણે કહ્યું કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે જે થયું, તે જ સ્થિતિ અહીં પીએમ મોદી (pm narendra modi) સાથે પણ થશે.

આ પણ વાંચો:JEE Main Result 2022: JEE મુખ્ય પરિણામ જાહેર, આ રીતે કરી શકાશે ઓનલાઈન ચેક

મોદીએ પણ રાજીનામું આપીને ભાગવું પડશે:ધારાસભ્ય ઈદ્રીસે વધુમાં કહ્યું કે, ભારતમાં જે સ્થિતિ ચાલી રહી છે, તેમાં પીએમ મોદી સંપૂર્ણ રીતે નિષ્ફળ છે. તેમણે કહ્યું કે, અહીંની સ્થિતિ શ્રીલંકા કરતા પણ ખરાબ થશે અને નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને ભાગવું પડશે.

આ પણ વાંચો:ઈદ અલ અધાના તહેવાર પર જોવા મળ્યું સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ

વિરોધીઓનો રાષ્ટ્રપતિ ભવન પર કબજો:આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં છેલ્લા ઘણા મહિનાઓથી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. 9 જુલાઈના રોજ મોટી સંખ્યામાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન લોકોએ રાષ્ટ્રપતિ ભવનમાં 1 કરોડ 78 લાખ શ્રીલંકન રૂપિયા મળ્યા હોવાનો દાવો કર્યો હતો. જો કે, વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરે તે પહેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ત્યાંથી ચાલ્યા ગયા હતા. વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યા બાદ સ્પીકરે બેઠક બોલાવી હતી. જે બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ પદ પરથી રાજીનામું આપશે.

ABOUT THE AUTHOR

...view details