ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શૌચ કરવા જતા થયો શિકાર, વાઘે હુમલો કરતા યુવાનનું મોત

બિહારના બગાહામાં વાલ્મિકી ટાઈગર રિઝર્વને (Valmiki Tiger Reserve in Bagaha) અડીને આવેલા વિસ્તારોમાં આ દિવસોમાં વાઘનો આતંક વધી રહ્યો છે. વાઘે સવારે ફરી એક યુવકનો શિકાર કર્યો છે.

By

Published : Oct 7, 2022, 5:26 PM IST

બગાહામાં વાઘની દેહશત, વધુ એકનો કર્યો શિકાર
બગાહામાં વાઘની દેહશત, વધુ એકનો કર્યો શિકાર

બગાહા બિહારના બગાહામાં એક વાઘે ગઈકાલે રાત્રે અન્ય એક વ્યક્તિનો શિકાર કર્યો છે. મામલો રામનગરના ડુમરીનો છે. સંજય મહતો શૌચ કરવા ખેતર તરફ ગયો હતો, ત્યારે વાઘે તેના પર હુમલોકર્યો. ગુરુવારે જ બગાહી પંચાયતના સિંઘહી ગામમાં એક માનવભક્ષીવાઘે 12 વર્ષની બાળકીને મારી નાખી હતી.અને હવે ફરી એક યુવકનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક મહિનામાં વાઘે અત્યાર સુધીમાં સાત લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.

વાઘના હુમલામાં યુવકનું મોત અહીં વાઘના હુમલાની માહિતી મળતાં જ ગામલોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને યુવકને લોહીથી લથપથ જોવા મળ્યો. તેની ગરદન તૂટી ગઈ હતી અને ટાઈગરના દાંત તેના ગળામાં ઘૂસી ગયા હતા. વધુ પડતું લોહી વહી જવાથી અને શ્વાસ રૂંધાવાથી તેમજ ગરદન ભાંગી જવાથી યુવકનું મોત થયું હતું. હાલમાં લોકોએ તેનો મૃતદેહ પોલીસને સોંપ્યો છે.

વન વિભાગ સામે રોષલોકોમાં વન વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ વન વિભાગના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ઘણા પ્રયત્નો બાદ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. માનવભક્ષી વાઘના હુમલામાં વધુ એક મોત થતાં વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. 400 વનકર્મીઓની ટીમ વાઘને બચાવવામાં લાગેલી છે, પરંતુ વાઘે ફરી એકવાર બધાને ચકમો આપી દીધો છે. ગુરુવારે એક માનવભક્ષી વાઘે એક કિશોરનો શિકાર કર્યો હતો.

વાઘે માર્યાવાઘના હુમલામાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયા છે. અને છેલ્લા એક મહિનામાં આ 7મી ઘટના બની છે. અત્યાર સુધીમાં પાંચ મહિનામાં વાઘે વિવિધ વિસ્તારોમાં કુલ આઠ લોકો પર હુમલો કર્યો છે. જેમાં આ 7મું મોત છે. જો કે વન વિભાગ વાઘને પકડવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ ન તો નરભક્ષી વાઘ પકડાઈ રહ્યો છે કે ન તો ન હુમલાઓ અટકી રહ્યા છે

વાઘએ ફેલાવ્યો ભયવીટીઆર નજીકના ગ્રામજનોએ વાઘના આતંકને કારણે ખેતરોમાં જવાનું બંધ કરી દીધું છે. ગ્રામજનોએ જણાવ્યું કે વાઘ તેમના ઘરે ન પહોંચે તે માટે તેઓ લોકો પોતાના ઘર પાસે સુક કચરો બાળીને સુરક્ષા મેળવી રહ્યા છે. આ ઘટનાઓ પછી તરત જ વનકર્મીઓએ વાઘને જોયો અને પછી તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વાઘ જંગલમાં ભાગી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details