ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Panthachowk Encounter : ત્રણ આતંકવાદીઓ ઠાર, ચાર જવાન ઇજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં એન્કાઉન્ટર(Panthachowk Encounter) દરમિયાન ત્રણ અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન ત્રણ પોલીસકર્મી અને ચાર CRPF જવાન ઈજાગ્રસ્ત(Encounter in Srinagar) થયા હતા.

By

Published : Dec 31, 2021, 9:19 AM IST

Updated : Dec 31, 2021, 10:11 AM IST

Panthachowk Encounter : ત્રણ આતંકવાદીઓ ઠાર, ચાર જવાન ઘાયલ
Panthachowk Encounter : ત્રણ આતંકવાદીઓ ઠાર, ચાર જવાન ઘાયલ

શ્રીનગર: શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં એન્કાઉન્ટર(Panthachowk Encounter) દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ અજાણ્યા આતંકવાદીઓને(Encounter in Srinagar) ઠાર કર્યા છે. આ દરમિયાન ત્રણ પોલીસકર્મી અને ચાર CRPF જવાન પણ ઘાયલ થયા છે. અગાઉ, પંથા ચોકના ગોમંદર મોહલ્લામાં આતંકવાદીઓની હાજરી અંગે સૂત્રોના આધારે, પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને સર્ચ ઓપરેશન(Search Operation in PanthaChowk) શરૂ કરવામાં આવ્યું હતું.

ત્રણ પોલીસકર્મી અને એક CRPF જવાન ઈજાગ્રસ્ત

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ETV ભારતને જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન, જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ એક ઘરમાં પ્રવેશી, ત્યારે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ(Jammu and Kashmir Terrorists) ભાગવાના પ્રયાસમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો. કમનસીબે, ફાયરિંગ દરમિયાન ત્રણ પોલીસકર્મી અને એક CRPF જવાન ઈજાગ્રસ્ત(CRPF Jawan Injured) થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

આતંકવાદીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો

કાશ્મીર ઝોન પોલીસે આઈજીપી કાશ્મીર વિજય કુમારને ટાંકીએ ટ્વીટ કર્યું કે, ત્રણ અજાણ્યા આતંકવાદીઓ માર્યા(Terrorists Killed in Srinagar) ગયા છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. વિસ્તારની વર્તમાન સ્થિતિ વિશે તેમણે કહ્યું કે, ત્રણ આતંકવાદીઓ એક ઘરમાં છુપાયેલા છે. હાલમાં એન્કાઉન્ટર પૂર્ણ થયું છે અને સર્ચ ઓપરેશન ચાલુછે. સર્ચ ઓપરેશન પૂરું થયા બાદ આતંકીઓની ઓળખ કરવામાં આવશે.

શ્રીનગરના જેવાન વિસ્તારમાં આતંકવાદીનો હુમલો

આ પહેલા 13 નવેમ્બરે શ્રીનગરના જેવાન વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ વાહન પર હુમલો(Terrorist Attack in Javan of Srinagar) કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા હતા અને 11 અન્ય ઘાયલ થયા હતા. જેવાન પંથા ચોકની એકદમ નજીક. તે જ સમયે, દક્ષિણ કાશ્મીરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાં એક જવાન શહીદ થયો હતો.

આ પણ વાંચોઃ Alert in Mumbai : મુંબઈમાં આતંકવાદી હુમલાનું એલર્ટ, મુંબઈ પોલીસ કર્મચારીઓની રજા કરાઇ રદ્દ

આ પણ વાંચોઃ Terrorist Associates Arrested : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ આતંકવાદીઓના ચાર મદદગારોની ધરપકડ

Last Updated : Dec 31, 2021, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details