નાગાર્જુન સાગરઃ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા નાગાર્જુન સાગર પરિયોજનાની જવાબદારી કૃષ્ણા બોર્ડ અને સુરક્ષા દળોને સોંપવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સહમત થયા છે. આ સંદર્ભે સીઆરપીએફની ટુકડીઓ ડેમ પર પહોંચી રહી છે. સીઆરપીએફ આજ સવાર 5 કલાકથી દરેક પોઈન્ટ પર કબ્જો જમાવી રહી છે. મધ્યાહન સુધી સમગ્ર ડેમ તેમના કબ્જામાં આવી જશે.
ડેમના 13 નંબરના ગેટ પર લગાડેલ વાડ હટાવી દેવાની પણ સંભાવના છે. સીઆરપીએફની ટુકડીઓ ડેમ પર આવતા જ તેલંગાણા પોલીસે ડેમ પરથી પીછેહઠ કરી લીધી છે. સાગર ડેમમાંથી ડાબી તરફની નહેરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જમણી નહેરમાંથી પણ ચાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ સાગર ડેમમાંથી આંધ્ર પ્રદેશને પાણી છોડવા અને તે રાજ્યમાં પોલીસ ટુકડીઓ સંદર્ભે આપાતકાલીન ઓનલાઈન સમીક્ષા કરી હતી. જેમાં બંને રાજ્યોના મુખ્ય સચિવો, પોલીસ મહાનિદેશકો અને સિંચાઈ વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠકમાં ગયા મહિનાની 29 તારીખથી આંધ્ર પ્રદેશની તરફથી સશસ્ત્ર દળોને ગોઠવી દેવા અને ડેમની જમણી નહેરમાં સતત પાણી છોડવાના વિવાદ પર ચર્ચા થઈ હતી.