- અયોધ્યા પર વિવાદાસ્પદ પુસ્તકને કારણે વિવાદ
- પુસ્તકમાં હિંદુત્વની તુલના ISIS અને બોકો હરામ સાથે કરી
- ખુર્શીદનો હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકો વિરોધ કરી રહ્યા છે
નૈનીતાલ: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ (congress leader salman khurshid)ના નૈનીતાલ સ્થિત ઘર પર આગ લગાવવામાં આવી અને પથ્થરમારો (stone pelting) કરવામાં આવ્યો. આ ઘટનાની જાણકારી કૉંગ્રેસ (congress) નેતાએ ફેસબુક પર શેર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉપદ્રવીઓના હાથમાં ભાજપ (bjp)નો ઝંડો હતો અને તેઓ સાંપ્રદાયિક નારા (sectarian slogans) લગાવી રહ્યા હતા.
'સનરાઇઝ ઓવર અયોધ્યા' પર વિવાદ
પૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા' પર વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. તાજી ઘટના નૈનીતાલના રામગઢ (nainital ramgarh)ની છે, જ્યાં બજરંગ દળ (bajrangdal)ના કાર્યકર્તાઓએ સલમાન ખુર્શીદના નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો અને આગ લગાવી. તો સૂચના મળતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી.
ખુર્શીદ પર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે સલમાન ખુર્શીદના પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા-નેશનહૂડ ઇન ઑવર ટાઇમ્સ' (sunrise over ayodhya: nationhood in our times)ને લઇને દેશમાં અનેક જગ્યાએ વિવાદ થઈ ચૂક્યો છે. ખુર્શીદ પર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આવામાં ઠેરઠેર સલમાન ખુર્શીદનો હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકો વિરોધ કરી રહ્યા છે. આવામાં સોમવારના બજરંગ દળના કાર્યકર્તા નૈનીતાલના રામગઢ સ્થિત તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા. સાથે જ ત્યાં પથ્થરબાજી અને આગ પણ લગાવવામાં આવી.