ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tamil Nadu News: તમિલનાડુમાં ઝેરી દારૂ પિવાથી બે લોકોના થયા મોત - Two Peoples was Dead drunk in counterfeit Liquor in tanjore

આજે તાંજોરમાં નકલી દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના શરીરમાં સાઈનાઈડના નિશાન હોવાનું જાણવા મળ્યું છે.

Etv Bharat
Etv Bharat

By

Published : May 22, 2023, 9:58 PM IST

Updated : May 22, 2023, 10:26 PM IST

તમિલનાડુ : તાંજોર જિલ્લાના કીઝા અલાગામ ખાતે સરકારી દારૂની દુકાન (TASMAC) ચાલે છે અને તસ્મેક દારૂની દુકાન પાસે એક બાર પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુપ્પુસામી (68) અને વિવેક (36) નામના બે લોકોએ બારમાં દારૂ પીધો હતો, થોડીવાર પછી બંને જમીન પર પડી ગયા અને કુપ્પુસામીનું અચાનક મૃત્યુ થઈ ગયું. જ્યારે વિવેકની હાલત નાજુક હતી. વિવેકને તાંજોર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ દારૂની દુકાનને સીલ કરી દીધી છે.

નકલી દારૂ પીને બે લોકોના મોત : પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તંજોર જિલ્લા કલેક્ટર દિનેશ ઓલિવર પોનરાજ ઘટનાસ્થળે પહોંચ્યા અને બંને મૃતકોની તપાસ કરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટર દિનેશ ઓલિવર પોનરાજે કહ્યું કે બંનેના શરીરમાં સાઈનાઈડના નિશાન મળી આવ્યા છે. કલેક્ટરે એમ પણ કહ્યું કે બંને મૃતકોની વધુ તપાસ માટે રિપોર્ટ ફોરેન્સિક ઓફિસ સાથે શેર કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં, એફઆઈઆર નોંધ્યા પછી, પોલીસે બંનેને દારૂ વેચનાર કર્મચારીની પૂછપરછ કરી.

પોલિસએ તપાસ શરુ કરી : પોલીસને શંકા છે કે બંનેએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અથવા કોઈએ દારૂમાં સાઈનાઈડ ભેળવીને મારવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે પોલીસનું કહેવું છે કે મૃતક વિવેકનો પારિવારિક વિવાદ હતો અને તે અલગ રહેતો હતો. આથી પોલીસને શંકા હતી કે વિવેક આત્મહત્યાનો પ્રયાસ કરી શકે છે. આ મામલાની તપાસ માટે એક વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે.

Last Updated : May 22, 2023, 10:26 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details