ગુજરાત

gujarat

By

Published : May 10, 2021, 10:52 PM IST

ETV Bharat / bharat

કૉવિડ સુનામી પર જીત મેળવવાની રણનીતિ

અનેક વિદેશી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે, ભારતમાં દૈનિક કેસોની સંખ્યા 10 લાખને વટાવી જશે અને આ મહિનામાં મૃત્યુદર 5000 પ્રતિ દિવસની રેન્જમાં હશે. આ ઘટસ્ફોટ બાદ હવે ફરી એકવાર દેશવ્યાપી ઘર-વાસ (લૉકડાઉન) લગાડવાની જોરદાર માગ કરવામાં આવી રહી છે. કેન્દ્રના જણાવ્યા મુજબ, નોંધાયેલા કિસ્સાઓમાં 73 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉપ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને દિલ્હીના છે.

કૉવિડ સુનામી પર જીત મેળવવાની રણનીતિ
કૉવિડ સુનામી પર જીત મેળવવાની રણનીતિ

  • ભારતમાં ગયા વર્ષે જાન્યૂઆરીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો
  • હાલના તબક્કે 34 લાખ સક્રિય કેસ સાથે ભારતમાં કુલ કોવિડ કેસની સંખ્યા 2 કરોડને પાર
  • ફક્ત એપ્રિલ મહિનામાં જ 45,000 લોકોના મોત

ન્યૂઝ ડેસ્કઃ આપણે તેને લહેર કહી રહ્યા છીએ, પરંતુ તે ખરેખર સુનામી છે, એમ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે તાજેતરમાં દિલ્હીમાં ઑક્સિજનની કટોકટીના મુદ્દે સુનાવણી કરતાં કહ્યું હતું. ગયા વર્ષે જાન્યુઆરીમાં પહેલો કોવિડ કેસ નોંધાયો હતો અને રોગચાળાને 25 લાખ કેસને પાર કરવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો. જેને બીજી તરંગ તરીકે ઓળખવામાં આવે છે, તેમાં એક અઠવાડિયાના સમયગાળામાં કેસની સંખ્યા 26 લાખને વટાવી ગઈ છે. આ સમયગાળામાં 23,800 મોત નીપજ્યાં હતાં. સરકારી આંકડા મુજબ માર્ચ મહિનામાં 5,417 કોવિડ મૃત્યુઆંક થયા હતા. સત્તાવાર માહિતીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રોગચાળાએ ફક્ત એપ્રિલ મહિનામાં જ 45,000 લોકોના જીવ લીધા હતા. હાલના તબક્કે 34 લાખ સક્રિય કેસ સાથે ભારતમાં કુલ કોવિડ કેસની સંખ્યા 2 કરોડને વટી ગઈ છે. આ તમામ આંકડા મોટા સામાજિક સંકટ તરફ સંકેત આપે છે.

ભારતમાં દૈનિક કેસોની સંખ્યા 10 લાખને વટાવી જશે તેમ વિદેશી સંસ્થાઓએ આપી ચેતવણી

અનેક વિદેશી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે, ભારતમાં દૈનિક કેસોની સંખ્યા 10 લાખને વટાવી જશે અને આ મહિનામાં મૃત્યુદર 5000 પ્રતિ દિવસની રેન્જમાં હશે. આ ઘટસ્ફોટ બાદ હવે ફરી એકવાર દેશવ્યાપી ઘર-વાસ (લૉકડાઉન) લગાડવાની જોરદાર માગ કરવામાં આવી રહી છે. કેન્દ્રના જણાવ્યા મુજબ, નોંધાયેલા કિસ્સાઓમાં 73 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉપ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને દિલ્હીના છે. તે 150 જિલ્લાઓમાં ઘર-વાસ ધારાધોરણોના કડક અમલ માટે દબાણ લાવી રહ્યું છે જ્યાં કેસોમાં ભારે વધારો નોંધાયો છે.

આ પણ વાંચોઃ કોરોના પેકેજ : ગરીબોને રાહત આવકારદાયક, પરંતુ અપર્યાપ્ત

કેટલાંક રાજ્યોએ કર્ફ્યુ જાહેર કર્યો છે અને કડક પગલાંની જાહેરાત કરી

હરિયાણા અને ઓડિશા ઘર-વાસ (લૉકડાઉન)ની ઘોષણા કરનારાં નવીનતમ રાજ્યો છે. કેટલાંક રાજ્યોએ કર્ફ્યુ જાહેર કર્યો છે અને કડક પગલાંની જાહેરાત કરી છે. છતાં રોગચાળો નિયંત્રણમાં આવવાનો ઇનકાર કરી રહ્યો છે. કેટલાક દેશોએ ભારત આવનારા પર પ્રતિબંધ મૂક્યો છે અને આ રીતે દેશને બહારથી બંધ કરી દીધો છે. રોગના સંક્રમણની સાંકળને કાપવા માટે કેન્દ્રએ રાજ્યો સાથે પરામર્શ કરીને ઘર-વાસ લાદવાના ભારપૂર્વક વિચારવું જોઇએ.

સર્વોચ્ચ ન્યાયાલયે ગરીબોને ભૂખથી બચાવવા અગાઉથી પગલાં ભરવાની પણ હાકલ કરી

સર્વોચ્ચ ન્યાયાલયે પણ તાજેતરમાં જણાવ્યું છે કે સરકારે લોકોના જીવનની સુરક્ષા માટે ઘર-વાસ લાદવાનું વિચારવું જોઇએ. ઘર-વાસનાં સામાજિક-આર્થિક પરિણામોથી વાકેફ હોવા છતાં, ન્યાયાલયે ગરીબોને ભૂખથી બચાવવા અગાઉથી પગલાં ભરવાની પણ હાકલ કરી છે. અમેરિકન જાહેર આરોગ્ય નિષ્ણાંત એન્ટોની ફૌસીને લાગ્યું કે દેશની તબીબી અને આરોગ્ય પ્રણાલી ભાંગી પડી હોવાથી, તેણે થોડાં અઠવાડિયા માટે ઘર-વાસ કરવાનું પસંદ કરવું જોઈએ. તેમણે એમ પણ સૂચન કર્યું છે કે ભારતે કૉવિડ હૉસ્પિટલોના નિર્માણ માટે યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ, જેમ કે ચીને કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશે લોકોને ઑક્સિજન, દવાઓ અને પથારી ઉપલબ્ધ કરાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આ પણ વાંચોઃ કોવિડ-19 બાદ નવી જોબ્સ, ભૂમિકાઓ અને કારકિર્દી – કામગીરીનું ભવિષ્ય

અંદાજે દેશને ઓછામાં ઓછા 2 લાખ આઈસીયૂ બેડની જરૂર

વડાપ્રધાને નિમેલા કૉવિડ કાર્ય દળે પણ આવી જ ભલામણો કરી છે, હવે લોકોના જીવન બચાવવા તાત્કાલિક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું મંતવ્ય છે કે રોગચાળાની વિકરાળતા ઓછામાં ઓછા ચારથી પાંચ મહિના સુધી રહેશે. તેના અંદાજમાં દેશને ઓછામાં ઓછા 2 લાખ આઈસીયૂ બેડ અને 3 લાખ નર્સોની સાથે બીજા 2 લાખ જુનિયર ડૉકટરોની જરૂર છે.
કૉન્ફીડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિઝે પણ ઘર-વાસની દરખાસ્તને સમર્થન આપ્યું

રાજ્યો સાથેના સમન્વયમાં કોરોના પરીક્ષણ ક્ષમતા અને રસીકરણની તીવ્રતામાં સુધારો લાવવાનું કહેતા, કૉન્ફીડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિઝે પણ ઘર-વાસની દરખાસ્તને સમર્થન આપ્યું છે. રાષ્ટ્ર દ્વારા અનુભવાયેલી અભૂતપૂર્વ આફતને અસરકારક રીતે પાર પાડવા માટે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે સલાહ લેવી જોઈએ, પરપ્રાંતીય મજૂરોની સમસ્યાઓ પર વિચાર કરવો જોઈએ અને નિર્ણય લેતી વખતે માનવીય દૃષ્ટિકોણથી કાર્ય કરવું જોઈએ. આ રીતે તે કોરોના વાઇરસથી થતાં સામૂહિક મૃત્યુદરને અટકાવવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details