- શોપિયાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીને કર્યા ઠાર
- આતંકવાદીઓએ ગોળીબાર કર્યો ત્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી
- એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં શનિવારે સુરક્ષા જવાનો દ્વારા એન્કાઉન્ટર દરમિયાન બે આતંકી ઠાર થયા છે. આ એન્કાઉન્ટર શોપિયાંના વંગમ વિસ્તારમાં ચાલી રહ્યું છે. માહિતી મુજબ, પોલીસ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ ગોળીબારમાં સેનાના ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ ઈજાગ્રસ્ત સૈનિકોમાંથી એક હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ શહીદ થયો હતો. શહીદ જવાનની ઓળખ પિંકુ કુમાર તરીકેની થઈ છે. આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે, ઓપરેશનમાં અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયો છે પરંતુ તેની ઓળખ મળી શકી નથી.
એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ અને સુરક્ષા દળો દ્વારા કોર્ડનને શરૂ કર્યા પછી તેની તપાસ કરતાં આ વિસ્તારમાં ગોળીબાર શરૂ થયો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ ગોળીબારમાં અત્યાર સુધીમાં એક આતંકવાદીને ઠાર કરાયો છે. જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો છે. તો બે સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરના શોપિયાં એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર, 1 જવાન ઈજાગ્રસ્ત