ગુજરાત

gujarat

By

Published : Feb 3, 2021, 7:55 PM IST

ETV Bharat / bharat

BMC ચૂંટણી : જલેબીને ફાફડા બાદ શિવસેના કરશે રાસગરબાનું આયોજન

મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની(BMC) ચૂંટણીમાં ગુજરાતી મતદારોની ભૂમિકા મહત્ત્વની બનવા જઈ રહી છે. તમામ પક્ષો આગામી દિવસોમાં ગુજરાતી મતાદારોને આકર્ષવા માટે જોડાઇ ગયા છે. આ જ કડીમાં BMCમાં શાસક શિવસેનાનું સૂત્ર આપ્યું હતું કે, મુંબઈમાં જલેબીને ફાફડા, ઉદ્ધવ ઠાકરે અપડા. જે બાદ હવે શિવસેના દ્વારા મુંબઇમાં રાસગરબાનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ 7 ફેબ્રુઆરીના રોજ મુંબઈના મલાડ ખાતે યોજાશે. જેમાં 21 ગુજરાતી ઉદ્યોગપતિ શિવસેનામાં જોડાશે. આ કાર્યક્રમમાં રસગરબાનું પણ આયોજન કરવામાં આવશે. આ અંગેની માહિતી શિવસેનાના રાષ્ટ્રીય આયોજક હેમરાજ શાહે આપી છે.

શિવસેના
શિવસેના

  • મુંબઈમાં જલેબીને ફાફડા, ઉદ્ધવ ઠાકરે અપડા બાદ શિવસેના દ્વારા રાસગરબાનું આયોજન
  • શિવસેનાને ગુજરાતી ઉદ્યોગપતિઓના પ્રવેશ સાથે આર્થિક મજબૂતી મળશે
  • BMC ચૂંટણી અંતર્ગત શિવસેના દ્વારા અવનવા કાર્યક્રમ

મહારાષ્ટ્ર : શિવસેના ગુજરાતી મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. શિવસેના દ્વારા મુંબઇમાં 'જલેબીને ફફડા, ઉદ્ધવ ઠાકરે અપડા' સ્લોગન હેઠળ રેલી બાદ હવે શિવસેનાએ રસગરબા દ્વારા ગુજરાતી મતદારોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગામી રવિવારે એટલે કે, 7 ફેબ્રુઆરીના રોજ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કાર્યક્રમમાં 21 ગુજરાતી ઉદ્યોગપતિઓ શિવસેનામાં જોડાશે. શિવસેનાને ગુજરાતી ઉદ્યોગપતિઓના પ્રવેશ સાથે આર્થિક મજબૂતી મળશે. પ્રથમ રેલીમાં શિવસેનાની સફળતા બાદ ફરી એક વખત રેલી યોજીને ભાજપને ફટકો આપવાની તૈયારી કરી રહી છે.

જલેબી ફાફડા બાદ શિવસેના કરશે રાસગરબાનું આયોજન

શું શિવસેના ભાજપની વોટ બેંકને તોડવામાં સફળ થશે?

'મુંબઈમાં જલેબીને ફફડા, ઉદ્ધવ ઠાકરે આપડા' કેમ્પેઇન બાદ શિવસેનાએ ગુજરાતી ભાઈઓ માટે રાસગરબાનું આયોજન કર્યું છે. શિવસેનાના રાષ્ટ્રીય આયોજક હેમરાજ શાહે ગુજરાતી ભાઈઓ માટે આ કાર્યક્રમ 7 ફેબ્રુઆરીના રોજ મલાડમાં આયોજન કરશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને હજૂ એક વર્ષ બાકી છે, ત્યારે શિવસેનાએ ભાજપના વોટ બેંકના ગુજરાતી પ્રભુત્વ ધરાવતા મતદારોને આકર્ષવા વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details