- શિવસેનાના નેતાએ આર્યન ખાનની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
- NCBએ બે વર્ષથી પસંદગીની હસ્તીઓ અને મોડેલોને નિશાન બનાવી
- NCB અધિકારીની પત્ની પણ મરાઠી ઉદ્યોગમાં કામ કરતી કલાકાર
મુંબઈ: શિવસેનાના નેતા કિશોર તિવારીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા નોંધાયેલા કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અને તેના માટે જવાબદાર એનસીબી અધિકારીની ભૂમિકાની ન્યાયિક તપાસની પણ માંગ કરી છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે આ કાર્યવાહી બદલો લેતી દેખાય
કિશોર તિવારીએ કહ્યું છે કે, NCB અધિકારીની પત્ની પણ મરાઠી ઉદ્યોગમાં કામ કરતી કલાકાર છે. તે મોડેલ અને સેલિબ્રિટી પણ છે. પત્નીની સાથે થયેલ વ્યવહારનો બદલો લેવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામે આ કાર્યવાહી બદલો લેતી દેખાય છે.
હસ્તીઓ અને મોડેલોને બદલો લેવા માટે નિશાન બનાવી
તેમણે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે, NCB છેલ્લા બે વર્ષથી પસંદગીની હસ્તીઓ અને મોડેલોને બદલો લેવા માટે નિશાન બનાવી રહી છે, જેની તપાસ થવી જોઈએ. તે કહે છે કે, એનસીબી અધિકારી જેની પત્ની પણ સેલિબ્રિટી છે. તે ફિલ્મી હસ્તીઓ સાથે સીધી સ્પર્ધામાં છે .અને તેથી તેના પતિ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી રહ્યા છે.
નિર્માતા-દિગ્દર્શકો વગેરેને નિશાન બનાવવાનો હેતુ
છેલ્લા 15-18 મહિનામાં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી શરૂ કરીને માત્ર ટોચની ફિલ્મી હસ્તીઓ, તેમના પરિવારો, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મોડેલો, નિર્માતા-દિગ્દર્શકો વગેરેને નિશાન બનાવવાનો હેતુ શું છે.
આર્યન ખાનને જામીન નામંજૂર